SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ પુસ્તક ૧-લું આખા શિક્ષકવર્ગની ઉત્પત્તિ થાય અથવા કરવી પડે તે અવાભાવિક નથી. ક્ષત્રિય વર્ણ આદિમાં કેમ? આ વાંચતાં વાચકવૃદને સહેજે સમજાશે કે ભગવાન શ્રી ઋષભદેવજીના વખતમાં લોકોને અપરાધને સામને કરે અશકય થઈ ગયે હતે. અને તે લેકને અપરાધોના ઘા રૂઝવવાને કઈ રસ્તે નહોતે, તેથી જ તેઓ પિતાના ઘા રૂઝવવા માટે શ્રી ઋષભદેવજી પાસે આવ્યા હતા. આ ઉપરથી ખુલ્લું સમજી શકાય તેમ છે કે તે જુગલીયાએ અનીતિકારકના જુલમથી એવા ત્રાસી ગયા હતા કે તે અનીતિકારકનાં કરેલાં સ્ત્રી અને સાધનના અપહાર સંબંધી તેઓને ઘા સમાન જ લાગતાં હતાં. સ્ત્રી–અપહાર થાય કે ઓછા સાધનેમાંથી પણ સાધનની કઈ ચોરી કરી જાય તે ઘા જેવું લાગે, એ હકીકત સમજવા મજુરણના બે ચાર પૈસા રાખેલા કઈ લઈ જાય તે વખતે તે મજુરણને કે કારમો ઘા લાગે છે? તે તેના તે વખતના રે-કકળાટને જોનારાથી અજાણ્યા નહિ રહે. એવી રીતે યુગલીયાઓને પણ થતું હતું. અને તે યુગલીયાઓની તેવી દશાને ખ્યાલમાં લઈને શાસ્ત્રકારોએ તે વખતની તેવી સામાન્ય સ્થિતિમાં થનારી અનીતિને ઘા એટલે ક્ષત તરીકે ગણી છે અને તેથી જ સર્વ શાસ્ત્રકારોએ ક્ષતથી રક્ષણ કરનારી મનુષ્ય જાતિને ક્ષત્રિય તરીકે ઓળખાવવાનું રાખ્યું છે. આ સ્થાને જરૂર યાદ રાખવાનું છે કે તે વખતે જે વિશ્વની ઉત્પત્તિ થઈ હોત તો તે યુગલીયાઓને હરાઈ ગયેલાં પણ જીવન નિર્વાહનાં સાધને ફરી મહેનત કરીને પણ મેળવવાનું રહેતા અને તેથી વેપારીને થતા નુકસાનની માફક તે સાધનના અપહારથી તેઓને તે ઘા વાગત નહીં. વળી તેના કરતાં પણ જે જ્ઞાન દેવાવાળે કે બ્રાહ્મણ ધર્મની ઉત્પત્તિથી જ્ઞાનને પ્રચાર કરનાર પણ જે વર્ગ તે વખતે ઉત્પન્ન થયેલ હતા તે જ્ઞાનવાન અને વૈરાગ્યનિષ્ઠને પિતાના સવસવનો નાશ થાય અથવા થવા આવે, તો પણ અંશે અફસ ન થાય ને તેથી જે તે બ્રાહ્મણ જાતિ પણ ઉત્પન્ન થઈ હતી તે પણ ચુગલીયાઓને તેટલે કારમો ઘા ન થાત.
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy