SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩ જુ ૭૯. વિતંડાવાદીઓ કહે છે કે તમે જીવને અનાદિ કહે છે તે તમારી મેળે કહે છે કે તમારા સર્વજ્ઞના કહેવાથી કહે છે ? જે તમે એ જવાબ આપશે કે, ભાઈ ! અમે તે અમારા સર્વ ભગવાનના કહેવાથી જ આ પ્રમાણે કહીએ છીએ, તે તરત તેઓ જવાબ આપી દેશે કે તે પછી તમારા ભગવાને જીવની આદિ જાણ હતી કે નહતી જાણી? જે આપણે એ જવાબ આપીશું કે ભગવાને તે જીવની આદિ પણ જાણી હતી તે વળી તેઓ નવી શંકા કરવાને માટે તૈયાર થઈને ઉભા જ રહેશે? આ વાદવિવાદ કે વિતંડાવાદ? ભગવાને જીવની આદિ જાણ હતી, એમ કહીશુ તે તેઓ કહેશે કે જીવ તે અનાદિ છે, પછી તેની આદિ તમારા ભગવાને જાણી એમ તેમણે કહ્યું હેય તે તેમણે ખોટું કહ્યું છે, અને તેમણે જે ખોટું કહ્યું હોય તે તેઓ પણ બેટાજ છે! એમ કહીશું કે ભગવાને જ જીવને અનાદિ કહ્યો છે તે તેઓ તરતજ જવાબ આપશે કે; એહ! ત્યારે તે તમારા ભગવાન એટલા જ્ઞાનમાં ઓછા, તેઓ જ્ઞાનમાં અપૂર્ણ હતા, તે જ જીવની આદિ જાણી ન શકયાને ? તેમની કહેવાનો મતલબ એ તરી આવે છે કે કાં તે તમારા ભગવાન બેટા છે! કાં તે તમારા ભગવાન અજ્ઞાની છે ! તેમની પાસે આ બે સિવાય ત્રીજી વાત નથી ! આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિતંડાવાદીઓને પિતાને જીવ અનાદિ માન જ નથી, તેથી જ તેઓ આ વિતંડાવાદ રજુ કરે છે. પરંતુ જ્યારે આ વિતંડાવાદને મર્મ તપાસીએ છીએ, ત્યારે તેમની આ વિષય પર રહેલી બાળકબુદ્ધિ અથવા ષવૃત્તિ તરી આવે છે. આરંભ અને અંત શેહે : લેખંડનું એક અખંડ ચક્ર છે. એક માણસ એ ચક ધરીને તેને ફેરવે છે, તમે લેખંડનું એ ચક્ર હાથ વડે ફેરવવા માંડયું તે જોયું. હવે તમેને કેઈ એ પ્રશ્ન કરશે કે આ લોખંડનું ચક્ર
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy