SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ ચેત ૬૨ ધર્મને જાણનારે અધર્મ આચરે તે વધારે બુરે છે. ઝવેરી ચળકતે. પત્થર લેવાને માટે પથરા પેટે રત્ન આપી દે, તે તમે તેને વધારે મૂર્ખ કહેશે કે રબારી પત્થરા પેટે રત્ન આપે તે તેને ખરેખર મૂખ કહેશે? પેલે રબારી ભલે મૂ ગણાય, પરંતુ ખરેખર મૂ. તે પિલે ઝવેરી છે. રબારી રત્નની કિંમત સમજતું નથી, જ્યારે ઝવેરી તે રત્નની કિંમત સમજે છે અને હવે જ્યારે ઝવેરી પેલું રત્ન તેનું મૂલ્ય જાણ્યા છતાં તેને પત્થર પેટે આપે છે, ત્યારે તેને મહામૂર્ખા કહેશો કે બીજું કાંઈ ? એ દષ્ટિએ ધર્મનું મૂલ્ય સમજેલા પણ ધર્મ ચૂકી જાય તે સમજી લેવાનું છે કે તેમના અંતઃકરણમાં ધર્મના કરતાં સંસારની કિંમત વધારે મનાએલી છે ? તે સિવાય ધર્મને જાણનારાઓ અધર્મમાં પ્રવૃત્તિ ન કરે. કમઠનું ઉદાહરણ વિચારે કમઠનું ઉદાહરણ તમારે આ વિચારસરણિએ આ કસેટી પર તેળી જોવાનું છે. તે ધર્મ જાણતું નથી, તીર્થકરનું મૂલ્ય કે તેમનું મહત્વ તેના ખ્યાલમાં પણ નથી, તે તે ભગવાન શ્રી પાર્શ્વનાથજીને નાશ કરવાના વિચારને જ સેવે છે અને સત્યાસત્ય જાણતું નથી. અર્થાત્ તેના બધાં કામે અજ્ઞાનતાથી ભરેલાં જ છે અને તેથી જ તે જ્યારે ભગવાનની મહત્તા અને પવિત્રતાને ઓળખે છે, ત્યારે તેને શરણે આવી સમ્યકત્વને પામી જાય છે, પરંતુ જે સમ્યફળ પામેલા છે, સત્યને જાણનારા છે, દેવગુરુને ઓળખનારા છે, તેઓ પણ જે. દેવદ્રવ્યને ચાટી ખાવાની વાત કરે તે પામેલા સમ્યક્ત્વને પણ તેઓ વમી નાખે છે, અથાત તેમનું સમ્યકત્વ “શૂન્ય” માંજ મળી જાય છે. આ સઘળા ઉપરથી તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ધર્મને ન જાણનારા ભલે અધર્મ કે પાપ કરી શકે, પરંતુ ધર્મને જાણનારા આપણે તે અધર્મને પંથે એક પગલું પણ ન જ ધરી શકીયે. તમે રાજી થાઓ : તમારે છેક તદ્દન અજ્ઞાન હોય, તેને કાંઈ પણ આવડતું ન હોય અને તે છોકરે બેળા કાગળ પર એકડાને નામે લીટાં.
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy