________________
[ શ્રાદ્ધવિધિ
**
***^^^^^^^^^^^******
*
વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ કહ્યું છે કે“સ્નાત્ર પુરું થાય ત્યાં સુધી ભગવાનનું મસ્તક ફૂલથી ઢાંકેલું રાખવું. સારાં સુગંધી ફૂલ તે ઉપર એવી રીતે રાખવાં કે, જેથી ઉપર પડતી જળધારા દેખાય નહીં. સ્નાત્ર ચાલતું હોય ત્યારે શક્તિ માફક એક સરખો ચામર, સંગીત, વાજિંત્ર આદિ આડંબર કરે. સ્નાત્ર કર્યા પછી ફરી સ્નાત્ર કરવું હોય તે નીચેને પાઠ ઉચ્ચારવાપૂર્વક જળધારા દેવી.
अभिषेकतोयधारा, धारेव ध्यानमंडलाग्रस्य ॥
भवभवनभित्तिभागान् , भूयोऽपि भिनत्तु भागवती ॥ १ ॥
ધ્યાનરૂપ મંડલની ધારા સરખી ભગવાનના અભિષેકની જળધારા સંસારરૂપ મહેલની ભતેને ફરી ફરીવાર તેડી નાંખે. છે ૧
એમ કહી પછી અંગહણ કરી વિલેપન આદિ પૂજા, પહેલા કરતાં વધુ કરવી. સર્વ જાતનાં ધાન્યના પકવાન્ન, શાક, ઘી, ગાળ આદિ વિગય તથા શ્રેષ્ઠ ફળ આદિ નૈવેદ્ય ભગવાન આગળ ધરવું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નના ધણી એવા ત્રણલેકના સ્વામી ભગવાન આગળ હેટા ન્હાના કમથી પ્રથમ શ્રાવકેએ ત્રણ પુંજ (ઢગલીઓ) કરી ઉચિત સ્નાત્રપૂજાદિક કરવું. પછી શ્રાવિકાએ પણ અનુક્રમથી કરવું. ભગવાનના જન્માભિષેકને
વસરે પણ પ્રથમ અભ્યત ઈંદ્ર પોતાના દેવના પરિવાર સહિત સ્નાત્ર આદિ કરે છે. તે પછી અનુક્રમે બીજા ઈંદ્ર કરે છે. શેષાની (ચઢાવેલી ફલની માળાની) પેઠે સ્નાત્ર જળ માથે છાંટયું હોય તે “તેમાં કાંઈદેષ લાગશે,' એવી કલ્પના ન કરવી. હેમચંદ્ર કૃત વીરચરિત્રમાં કહ્યું છે કે-“સુર, અસુર, મનુષ્ય અને નાગકુમાર એમણે તે સ્નાત્ર જળને વારંવાર વંદન કર્યું અને પિતાના સર્વ અંગે છાંટયું. શ્રી પદ્મચરિત્રમાં પણ ઓગણીશમા ઉદ્દેશામાં આષાડ સુદિ આઠમથી માંડી દશરથ રાજાએ કરાવેલા અઈ મહત્સવના ચૈત્ય સ્નાત્રેત્સવને અધિકારે કહ્યું છે કે- દશરથ રાજાએ તે શાંતિ કરનારું હવણ જળ પોતાની ભાર્યાઓ તરફ મે કહ્યું, તરૂણ દાસીઓએ શીધ્ર જઈ બીજી રાણીઓને માથે તે ન્હવણ જળ છાંટયું, પણ મહેટી રાણીને પહોંચાડવાનું ન્હવણ જળ વૃદ્ધ દાસીના હાથમાં આવ્યું, તેની વૃદ્ધાવસ્થા હોવાથી પહેચતાં તેને વાર લાગી, ત્યારે મહેટી રાણી શકાતુર અને દિલગીર થઈ, પછી દાસીએ આવી ક્રોધ પામેલી રાણીને તે ન્હવણ જળ આપ્યું ત્યારે તે રાણીનું ચિત્ત અને શરીર શીતળ થયાં અને તે દાસી ઉપર પ્રસન્ન થઈ.” - બ્રહશાંતિ સ્તવમાં પણ કહ્યું છે કે–સ્નાત્રજળ મસ્તકે ચઢાવવું.” સંભળાય છે કેશ્રીનેમિનાથ ભગવાનના વચનથી કૃષ્ણ નાગેન્દ્રની આરાધના કરી પાતળમાંથી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શંખેશ્વરપુરે લાવી તેને ન્યવણ જળથી પિતાનું સૈન્ય જરાસંધની જરાથી પીડાણું હતું તે સાજું કર્યું, આગમમાં પણ કહ્યું છે કે–જિનેશ્વર ભગવાનની દેશના સ્થાનકે રાજા આદિ લેકેએ ઉછાળેલ અને બલિ પાછા ભૂમિએ પડતાં પહેલાં જ દેવતાઓ તેને અર્ધો ભાગ લે છે, અર્થને અર્ધ ભાગ રાજા લે છે, અને બાકી રહેલે ભાગ બીજા લકે