________________
વ્યવહાર શુદ્ધિ
૧૫૭ પાછળથી આડુ બોલનાર કે વિરોધ કરનારની સાથે ઉધારનો વ્યાપાર ન કરે, કેમકે –“વસ્તુ ઉધાર ન આપતાં સંગ્રહ કરી રાખે તે પણ અવસર આવે તેને વેચવાથી મૂળ કિસ્મત જેટલું નાણું તે ઉપજશે. પણ આડુ બેલનારા લેકને ઉધાર આપ્યું હોય તે તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષે કરી, નટ વિટ (વેશ્યાના દલાલ), વેશ્યા તથા જુગારી એમની સાથે ઉધારનો વ્યાપાર થોડે પણ ન કર.” કારણકે તેથી મૂળ દ્રવ્યનો પણ નાશ થાય છે. વ્યાજ વટાવને વ્યાપાર પણ જેટલું દ્રવ્ય આપવું હોય, તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ થાપણુ રાખીને જ કરવો ઉચિત છે. તેમ ન કરે તો, ઉઘરાણી કરતાં ઘણો કલેશ તથા વિરોધ થાય. વખતે ધર્મની હાનિ થાય, તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય.
ઉધારે ન ધીરવા ઉપર મુગ્ધ શ્રેષ્ઠિની કથા જિનદત્ત નામે એક શ્રેષ્ટિને મુગ્ધ નામે એક પુત્ર હતું. તે મુગ્ધ પિતાના નામ પ્રમાણે ઘણે ભેળે હતો. અવસરે જિનદત શ્રેષોએ નંદિવર્ધન શ્રેષ્ટિની કન્યાની સાથે પુત્રને પરણાવ્યા. પુત્રની ભલમનસાઈ તે જેવી અગાઉ હતી તેવી જ જોવામાં આવી, ત્યારે જિનદત્ત શ્રેષ્ઠીએ ગૂઢ અર્થના વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો. “હે વત્સ! ૧ સર્વ ઠેકાણે દાંતને પડદે રાખવે ૨ કેઈને વ્યાજે દ્રવ્ય ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી. ૪ મીઠું ભેજન કરવું, પ સુખે નિદ્રા લેવી. ૬ ગામે ગામ ઘર કરવું. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગંગાતટ ખેદ. ૮ ઉપર કહેલી વાતમાં કોઈ શંકા પડે તે પાટલિ પુત્ર નગરે જઈ ત્યાં સોમદત્ત શ્રેષ્ઠી નામે મહારે સ્નેહી રહે છે. તેને પુછવું.” મુગ્ધશ્રેષ્ઠિએ પિતાને આ ઉપદેશ સાંભળ્યો, પણ તેનો ભાવાર્થ તેના સમજવામાં આવ્યું નહિં. આગળ જતાં તે મુગ્ધશ્રેષ્ઠિ ઘણે દુઃખી થશે. ભેળપણમાં તેણે સર્વ દ્રવ્ય ખાયું. સ્ત્રી આદિ લોકોને તે અપ્રિય લાગવા લાગે. “એક કામ એનું પાર પડતું નથી. એની પાસેનું નાણું ખૂટી ગયું છે. એ મહામૂર્ખ છે.” એવી રીતે લેકમાં તેની ઘણું હાંસી થવા લાગી.
પછી મુંઝાયેલ તે મુગ્ધ શ્રેષ્ઠી) પાટલીપુત્રનગરે ગયો. સોમદત્ત શ્રેષ્ઠિને પિતાના ઉપદેશને ભાવાર્થ પૂ. સેમદત્તે કહ્યું. “ ૧ સર્વ ઠેકાણે દાંતને પડદે રાખ એટલે મુખમાંથી ખોટુ વચન બોલવું નહીં. અર્થાત્ સર્વ લોકોને પ્રિય લાગે એવું હિતકારી વચન બોલવું ૨ કઈને વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉઘરાણું ન કરવી. એટલે પ્રથમથી જ અધિક મૂલ્યવાળી વસ્તુ થાપણ રાખીને દ્રવ્ય ધીરવું કે, જેથી દેણદાર પિતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પિતાની સ્ત્રીને જે પુત્ર અથવા પુત્રી થઈ હોય, તેમજ તેની તાડના કરવી. તેમ ન હોય તે તે તાડના કરવાથી રેષ કરીને પિયર અથવા બીજે કઈ સ્થળે જાય. અથવા કૂવામાં પડીને કિંવા બીજી કઈ રીતે આપઘાત કરે. ૪ મીઠું જ ભેજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય તેને ત્યાંજ ભૂજન કરવું, કારણકે, પ્રીતિ તથા આદર એજ ભેજનની ખરેખર મીઠાશ છે.