Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 323
________________ રાત્રિકૃત્ય ] ૨૩૯ wwwwwwwwwwwwwwwwww શાસ્ત્રમાં ઠેર ઠેર ચૌદશે તથા ૫ખીને દિવસે પણ ઉપવાસ કરવાને કહ્યો છે, તેથી ૫ખી આયણ પણ છઠવડે થાય. અને તેમ કરવાથી આગમ વચનને વિરેાધ આવે છે. આગમમાં કહ્યું છે કે અમછg સંવર રામાસ હણેનુ બીજું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે, ત્યાં ચતુર્દશી શબ્દ જૂદ લીધે નથી, અને જ્યાં ચતુર્દશી શબ્દનું ગ્રહણ કર્યું છે, ત્યાં પાક્ષિક શબ્દ જૂદો લીધે નથી, તે આ રીતે – ૨ જીતુ વાસ: એ વચન પાક્ષિક ચર્ણિમાં છે. તો સાવરકુ ઉપવા જણ” એ વચન આવશ્યક ચૂર્ણિમાં છે. કેથઇ8મને અપિલવારવરિશે સ એ વચન વ્યવહારભાષ્ય પીઠિકામાં છે. “મિરાતના પંચમીરામાર'—વગેરે વચન મહાનિશાથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં જાહ્નતિ અદૃલિg, મારા દિલડાં કુળવદ એ વચનની વ્યાખ્યા કરતાં વૃત્તિકારે પાક્ષિક શબ્દને અર્થ ચતુર્દશી એમ જ કર્યો છે. જે ૫ખ્ખી અને ચતુર્દશી જૂદાં હેત તે આગમમાં બે શબ્દ જુદા જુદા આવત, પણ તેમ નથી. તેથી અમે એવા નિર્ણય ઉપર આવીએ છીએ કે, ૫ખી ચતુર્દશીને દિવસે જ થાય. અગાઉ માસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા, પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણથી ચોમાસી ચૌદશે અને સંવત્સરી ચોથે કરાય છે. એ વાત સર્વ સમંત હોવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથમાં કહ્યું છે કે- કોઈપણ આચાર્યું કેઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવદ્ય આચરણ કર્યું હોય અને અન્ય આચાર્યોએ તેને જે પ્રતિષેધ ન કર્યો હોય, તે તે બહુમત આચરિતજ સમજવું. પણ અનાચરિત નહિ, તીર્થંકર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે-“શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચૌદસને દિવસે ચોમાસી અને ચોથને દિવસે સંવત્સરી કરાવી. નવસે ત્રાણુની સાલમાં ચતુવિધ શ્રી સંઘે ચદશને દિવસે ચામસી પ્રતિક્રમણ કર્યું તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય તે પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલું વિચારામૃતસંગ્રહ નામનો ગ્રંથ છે. પ્રતિક્રમણ કરવાને વિધિ વેગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્ય કૃત ગાથાઓ કહી છે, તે ઉપરથી ધારે. તે નીચે પ્રમાણે છે – पंचविहायारविसु-द्धि हेउमिह साहु सावगो वावि । पडिकमणं सह गुरुणा, गुरुविरहे कुणइ इक्को वि ॥१॥ અર્થ—આ મનુષ્યભવમાં સાધુએ તથા શ્રાવકે પણ પંચવિધ આચારની શુદ્ધિ કરનારું પ્રતિક્રમણ ગુરુની સાથે, અથવા ગુરૂને વેગ ન હોય તે એકલાએ અવશ્ય કરવું. (૧) ૧ સંવત્સરીએ અઠમ, માસીએ છઠ, અને ૫ખીએ ઉપવાસ કરવો. ૨ આઠમ ચઉદશે ઉપવાસ કરવો. 8 તે આઠમ ચોદશે ઉપવાસ કરે. ૪ આઠમે તથા પંખીએ ઉપવાસ, માસીએ છ અને સંવત્સરીએ અઠ્ઠમ કરે

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416