________________
૧૪૮
|શ્રાદ્ધ વિધિ
ધર્મને બાધ ન આવે તે રીતે ધન મેળવવાને શાસ્ત્રને આદેશ.
એવી કઈ પણ વસ્તુ જગતમાં નથી કે, જે દ્રવ્યથી ન મેળવી શકાય. માટે બુદ્ધિ. શાળી પુરૂષે સર્વ પ્રકારના પ્રયત્ન કરીને ધન સંપાદન કરવું.” આ ઠેકાણે “ અર્થચિંતા કરવી” એમ આગમ કહેતું નથી. કારણ કે, માણસ માત્ર અનાદિ કાળની પરિગ્રહ સંજ્ઞાથી પિતાની મેળેજ અર્થચિંતા કરે છે. કેવળિભાષિત આગમ તે અનાદિ કાળની પરિગ્રહસંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિંત કરવી પડે, ત્યારે તેણે ધર્મ વગેરેને બાધ ન આવે તેવી રીતે કરવી એટલી જ આજ્ઞા કરે છે. “લેક જેમ ઈહલોકના (સંસાર સંબંધી) કાર્યમાં સર્વ આરંભ કરીને અહેરાત્ર ઉદ્યમ કરે છે, તેના એક લાખમા ભાગ જેટલો પણ ઉદ્યમ જે ધર્મને વિષે કરે, તે શું મેળવવાનું બાકી રહે ?”
આજીવિકા (અર્થ ચિન્તા)
ધન મેળવવાના સાત સાધને માણસની આજીવિકા ૧ વ્યાપાર, ૨ વિદ્યા, ૩ ખેતી, ૪ ગાય બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળા કૌશલ્ય, ૬ સેવા અને ૭ ભિક્ષા એ સાત ઉપાયથી થાય છે. તેમાં વણિક લોક વ્યાપારથી, વૈદ્ય આદિ લોકો પિતાની વિદ્યાથી, કણબી લકે ખેતીથી. ગોવાળ અને ભરવાડ લોકે ગાય આદિના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લેકે પિતાની કારીગરીથી, સેવક કે સેવાથી અને ભિખારી લોકે ભિક્ષાથી પિતાની આજીવિકા કરે છે. ૧ વ્યાપારના પ્રારા
તેમાં ધાન્ય, ધૃત, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબુ પિત્તળ આદિ ધાતુ, મોતી, ઝવેરાત, નાણું. અને કરિયાણા વગેરેના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. “ત્રણસો સાઠ પ્રકારનાં કરિયાણાં છે એવી લોકમાં પ્રસિદ્ધિ છે. વસ્તુઓના પેટા ભેદે ગણવા જઈએ તે વ્યપારની સંખ્યાને પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદરજ સમાય છે. ૨ વિદ્યાના પ્રકારો
ઔષધ, રસ, રસાયન, ચૂર્ણ, અંજન, વાસ્તુ, શકુન, નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, તિષ, તર્ક વગેરે ભેદથી નાના પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બે વિદ્યામાં પ્રાયે માઠું ધ્યાન થવાને સંભવ હેવાથી વિશેષ ગુણકારી નથી. કારણકે કેઈ ધનવાન્ પુરૂષ માં પડી જાય અથવા રોગચાળા વિગેરેના માઠા પ્રસંગે વૈદ્યને તથા ગાંધીને ઘણે લાભ થાય છે અને ઠેકાણે ઠેકાણે બહુમાન મળે છે. કેમકે “શરીરે રેગ થાય ત્યારે વૈદ્ય પિતા સરખે છે; તથા શિગિના મિત્ર વૈદ્ય, રાજાના મિત્ર હાજી હાજી કરી મીઠાં વચન બોલનારા, સંસારી દુઃખથી પીડાયેલા માણસના મિત્ર મુનિરાજ અને લક્ષમી ખાઈને બેઠેલા