________________
શ્રી અંતગડ સૂત્ર
અગિયાર અંગસૂત્રોમાં આઠમા સ્થાને અંતગડદશાંગ સૂત્ર છે. સાતમા ઉપાસક દશાંગ સૂત્રમાં ભગવાને શ્રમણો પાસકોના ચરિત્રવર્ણન કરીને અગાર-શ્રાવકધર્મનો પ્રતિબોધ કર્યો તો આ અંતગડ સૂત્રમાં અણગાર-સાધુ ધર્મને સ્વીકારી જે મહાત્માઓ ચરમ શરીરી છે–તે જ ભવમાં મોક્ષે જવાના છે અને અંતકાળે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મદેશના દીધા વિના જ મુક્તિ મેળવી એમના ચારિત્રનું વર્ણન છે. અંતગઢ સૂત્ર એટલે સંસારનો સંપૂર્ણ ધરાવતી અંતઃકરણાની યાત્રા,
(ગ્રુપ)માં ત્રણ વાર મુનિઓના આવવા છતાં દેવકીમાતાની વિનય પ્રતિપતિ દાતાની દાનવિધિનું દર્શન કરાવે છે.
પહેલા વર્ગના પહેલા અધ્યયનમાં કૃષ્ણ વાસુદેવની ધનપતિ વૈશ્રમણ દેવ કુબેરની બુદ્ધિ કૌશલ્યથી નિર્મિત્ત દ્વારિકા નગરીનું વૈભવશાળી વર્ણન છે. કૃષ્ણ વાસુદેવની ત્રણે ખંડની બાહ્ય આત્યંતર રાજસંપદા અને નગરસંપદાનું આલેખન છે. આટલી સમૃદ્ધિ હોવા અંતર છતાં તેઓ માતા પ્રત્યેની અપૂર્વ ભક્તિથી પ્રેરાઈને માતાની એક નાનો પુત્ર હોવાની ભાવનાને પૂરી કરવા અક્રમ તપ કરી હરિશંગમથી પાદેવને બોલાવે છે. દેવ અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકીને કહે છે, દેવજીકથી એક દેવતા આયુષ્ય પૂર્ણ કરી, વીને તમારો સહોદર લઘુભ્રાતા હશે.' આ કથન સૂચવે છે કે દેવ કોઈને પુત્રી આપતા નથી પરંતુ ભવિતવ્યતા હોય તો સંયોગો મેળવી આપે કે જાણકારી આપી શકે.
અંતગડસૂત્રનો એક શ્રુતસ્કંધ છે. મૂળમાં ૨૩,૨૮,૦૦૦ હતો. વર્તમાનમાં ૯૦૦ શ્લોક પ્રમાણ છે. તેમાં ૮ વર્ગ છે, તેના ૯૦ અધ્યયનો છે. આ આગમની રચના કથાત્મક શૈલીમાં છે
અંતગડ સૂત્રનું ઘણું ઊંચું સ્થાન છે. ઉત્તર ભારતમાં પર્યુષણ પર્વના માંગલિક દિવસોમાં આ આગમના એક એક વર્ગનું વાંચન કરી, ૮ વર્ગની વાંચણી આઠ દિવસમાં પૂરી કરવામાં આવે છે.
આ આગમની વર્ણનશૈલી અત્યંત વ્યવસ્થિત છે તથા લગભગ એક જ માળખામાં બંધબેસતી કથાઓ છે. પ્રત્યેક સાધકના નામ, નગર, ઉદ્યાન, રાજા, માતા-પિતા, ૭૨ કળામાં પ્રવીણ, ધર્મ ચાર્ય, તીર્થંક૨ ભગવાન, ધર્મ કથા, ઈહલૌ કિક તથા પારલૌ કિક ઋદ્ધિ, પાણિગ્રહણ, પ્રીતિદાન, ભોગ-પરિત્યાગ, પ્રવજ્યા, દીક્ષાકાળ, શ્રુતગ્રહણ, તો પાન, લેખના, સંલેખનાભૂમિ તથા અંતક્રિયા કરી સિદ્ધિગમનનો ક્રમિક ઉલ્લેખ છે. રાજાશાહી ભોગાવસ્થાથી યોગાવસ્થાનો સુખદ વિરામ છે.
અંતગઢ સૂત્રના ૯૦ અધ્યયનમાં ૯૦ જીવોનો અધિકાર છે. તેમાંના ૫૧ ચરિત્ર બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટને મિના શાસનના અને ૩૯ ચરિત્ર ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના શાસનના છે, પહેલાં ૫૧ ચરિત્રનો વિસ્તાર પાંચ વર્ગમાં અને ૩૯ ચરિત્રનો વિસ્તાર ૩ વર્ગમાં છે. ૫૧ ચરિત્રમાં કૃષ્ણ વાસુદેવના પરિવારજનો છે. જેમાં તેમના ૧૦ કાકા, ૨૫ ભાઈ, ૮ પત્ની, ૨ પુત્રવધૂ, ૩ ભત્રીજા, ૨ પુત્ર ને ૧ પૌત્રનો સમાવેશ થાય છે. યાદવકુળના રાજવંશી આ પરિવારજનો શ્રી અરિષ્ટનેમિ ભગવાનના સમવસરણમાં આવે, ધર્મ શ્રવણ કરે, માતપિતાની આજ્ઞાથી દીક્ષા લે જેમ કોઈ વ્યક્તિ ઘરમાં અચાનક આગ લાગતાં અલ્પ વજનવાળી અને બહુમૂલ્યવાળી વસ્તુઓને ત્વરાથી લઈને બહાર નીકળી જાય છે તેમ જરા-મ૨ણની અગ્નિમાં માનવ જીવન ભસ્મ થાય તે પહેલાં અગુરુલઘુ આત્માને બચાવી લે છે. (શ્રી ઉત્તરાયન સૂત્રના ૧૯મા અધ્યયનની ગાથા ૨૩માં પણ આવો ઉલ્લેખ છે.) મુનિવેશ ધારણ કરી ઉત્તમ સાધુત્વના આચાર-તપજ્ઞાન-ધ્યાન કરી અંતિમ સમયે સંલેખના કરી અંતિમ શ્વોસોચ્છ્વાસ દ્વારા આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે.
દરેક અધ્યયનમાં એક સરખી પરિપાટી હોવા છતાં વિશેષતાભર્યા અધ્યયનનો અહીં ઉલ્લેખ કર્યો છે.
અનીયસકુમાર આદિ ૬ અાગાર ભાઈઓ જેઓ એકસમાન દેખાતા હતા તેમનું દેવકીમાતાને ત્યાં ગોચરી અર્થેનું આગમન-એ પ્રસંગમાં મુનિરાજોનું ભિક્ષાર્થે ગમન, ગોચરીનો સમય, ગોચરી પહેલાની પ્રતિલેખન આદિ વિધિનું વર્ણન છે. બે-બેના સંઘાડા
૨૭
ત્રીજા વર્ગના આઠમા અધ્યયનમાં ગજકુમાલના ઐતિહાસિક કથાપ્રસંગના ઉલ્લેખથી કદાચિત્ કોઈક જ જૈન અજાણ હશે. દરેક સાધુ -સાધ્વી વ્યાખ્યાન-પ્રવચનોમાં ગજસુકુમાલના ગુ ણગાન અલગ અલગ દૃષ્ટિકોણથી ફરમાવે છે.
હાથીના તાળવા સમાન અત્યંત સુકોમળ હોવાથી માતપિતાએ ગજસુકુમાલ નામ રાખ્યું. તેમની પ્રભા, ચમક, કાંતિ અને રંગના વર્ણન પરથી જાણવા મળે છે તેઓ સુંદર હતા. યુવાવસ્થા આવતા સુધીમાં ૭૨ કળાના પ્રવીણ બને છે. સોમિલ નામના બ્રાહ્મણની સોમા નામની કન્યા પર ગજસુકુમાલના ભાઈ ાની નજર પડતાં, ભાઈ માટે યાચના કરી, અંતઃપુરમાં રાખે છે. બીજી તરફ ત્યાં અરિષ્ટનેમિ ભગવાન આવે છે. ગજસુકુમાલ ધર્મશ્રવણ કરે છે અને વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય છે. અહીં પુત્રોહના કારણે માતા દેવકી પુત્રને અનુકૂળ-પ્રતિકૂળ, રાગાત્મક પ્રલોભનો, સંયમ માર્ગની કઠિનાઇઓ આદિ અનેક પ્રકારે ગજસુકુમાલને યોગથી ભોગ તરફ વાળવાની યુક્તિઓ, ઉક્તિઓથી સમજાવટ કરે છે. તે તમામના સચોટ વૈરાગ્યપૂર્ણ પ્રત્યુત્તર સાથેના માતાપિતાનું અત્યધિક સુંદર વર્ણન છે.
કૃષ્ણ મહારાજ તેમના વૈરાગ્યની કર્સટી કરવા રાજ્યાભિષેક કરાવે છે પણ ગજસુકુમાલનો જ્ઞાનગર્ભિત દૃઢ વૈરાગ્ય રંગ લાવે છે. દીક્ષાના દિવસે જ બારમી ભિક્ષુ મહાપ્રતિમાની આરાધના કરવા, ભગવાનની આજ્ઞા લઈ મહાકાળ નામના સ્મશાનમાં જાય છે. આ મહાપ્રતિમાના વહન વખતે અવશ્ય દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ આવે છે. સાધક જો આ પ્રતિમાનું સમ્યક્પાલન ન કરી શકે તો ઉન્માદને, દીર્ઘકાલીન રોગાંતકને પામે છે અથવા જિનધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. પણ જો સભ્યપાલન કરે તો અવશ્ય અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન-આ ૩ જ્ઞાનમાંથી કોઈપણ એક જ્ઞાનને પ્રાપ્ત કરે છે,
ગજસુકુમાલ મુનિના ઉત્કૃષ્ટ વૈરાગ્યથી અજ્ઞાત અને પુત્રીમોહમાં અધ થયેલા સસરા સોમિલ બ્રાહ્મણનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠે છે. ક્રોધની આંધીએ તેના વિવેક દીપકને બુઝવી નાખ્યો. પરિણામ સ્વરૂપ નવદીક્ષિત મુનિરાજના તાજા મુંડિત મસ્તક પર ધગધગતા શ્રી અંતગક સૂત્ર