________________
સમુદ્ઘાત-કર્મો પર ઘાત કરવાની પ્રક્રિયા પન્નવણાના ૩૬મા પદને આધારે સમુદ્ઘાતનું સ્વરૂપ
– ડૉ. પાર્વતી નેણશી ખીરાણી અને ડૉ. રતન ખીમજી છાડવા
જેમ કોઈ પક્ષીની પાંખો પર અત્યંત ધૂળ છવાઈ ગઈ હોય ત્યારે તે પક્ષી પોતાની પાંખ ફેલાવી (ફફડાવી) તેના પર છવાયેલી ધૂળને ખંખેરી નાંખે છે તેમ આત્મા પણ બહુ કર્મના અણુઓને ખંખેરવા માટે સમુદ્દાત નામની ક્રિયા કરે છે.
આત્મપ્રદેશોમાં સંકોચ-વિસ્તારનો ગુણ હોય છે. તેથી જ સામાન્ય રીતે આત્મા પોતાના નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા નાના-મોટા શરીર પ્રમાણે સ્થિત થઈ જાય છે. તેમ છતાં ક્યારેક, કેટલાક કારણોથી, અલ્પ સમય માટે પ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે અને પાછા સંકોચી લે છે. આ ક્રિયાને જ જૈન પરિભાષામાં સમુદ્ધાત કહે છે. વેદનીય અને કષાય સમુદ્ધાતમાં શરીરની અંદરના પોલાણમાં જ આત્માના પ્રદેશો બહાર નીકળે છે. બાકીનામાં શરીરની
બહાર.
તથા શરીરની બહાર કાન અને ખભાની વચ્ચેના આકાશપ્રદેશો પર તે આત્મપ્રદેશને ફેલાવી પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાત્મો ભાગ અને ઉત્કૃષ્ટ એક જ દિશામાં જ્યાં ઉપજવાના છે તે નવા સ્થાન સુધી અસંખ્યાન યોજનમાં વ્યાપ્ત થઈને, અંતર્મુહૂર્ત સુધી તે જ અવસ્થામાં સ્થિત રહે છે. આ ક્રિયાને મારણાન્તિક સમુદ્દાત કહે છે. તે સમયે આયુષ્ય કર્મના પુદ્ગલો વેદન થઈને ક્ષય પામે છે.
આ સમુદ્દાત એક ભવ દરમિયાન વધારેમાં વધારે બે વખત થઈ શકે. પ્રથમ વખતની સમુદ્દાતમાં મરણ પામે અથવા પાછો આવે તો પછીના અંતર્મુતમાં સ્વાભાવિક રીતે અવશ્ય મૃત્યુ પામે અથવા બીજી વખતે મારણાંતિક સમઘાત કરીને તેમાં અવશ્ય મરણ પામે. એક વખત આ સમુદ્દાત થાય પછી વધારેમાં વધારે અંતર્મુહૂતથી વધારે વખત જીવ તે ભવમાં ન રહે અવશ્ય મૃત્યુ પામે. સમુ,માં મરણ પામે તેને સોહિયા મરણ કહેવાય. આયુષ્યનો બંધ નિયમા સમુદ્દાત પહેલા પડી ગયેલો હોય તો જ આ સયુ. થાય. આયુષ્ય કર્મના દયિકો આયુ.ની સ્થિતિ કરતાં વધારે હોય તો જ આ સમુ. થાય છે. મરણનો અંત બાકી રહે ત્યારે જ આ સમુ. થાય માટે મારણાંતિક સમુ. કહેવાય છે.
(૪) વૈક્રિય સમુદ્ધાંત : વૈક્રિય શરીર બનાવવાના પ્રારંભ સમયે વૈક્રિય શરીર નામકર્મને આશ્રિત જે સમુદ્દાત થાય તેને વૈક્રિય સમુદ્દાત કહે છે. વૈક્રિય લબ્ધિ સંપન્ન જીવ પોતાના જીર્ણ શરીરને પુષ્ટ અને સુંદર બનાવવા માટે અથવા વિવિધ રૂપોની વિર્ઘળા કરવા માટે પોતાના આત્મપ્રદેશોને એક દંડના આકારે બહાર કાઢે છે. તે દંડની પહોળાઈ અને જાડાઈ શરીર પ્રમાણ અને લંબાઈ સંખ્યાત યોજનની હોય છે. એક અંતર્મુહૂર્ત પર્યંત આ અવસ્થામાં સ્થિત રહીને વૈક્રિય શરીર બનાવવા યોગ્ય સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. આ વૈક્રિય સમુદ્દાત છે.
(૫) તેજસ સમુદ્ધાંત : તેજોલબ્ધિના પ્રયોગ સમયે તેજોલબ્ધિ સંપન્ન પુરુષ પોતાના આત્મપ્રદેશોનું શરીરની બહાર પ્રક્ષેપણ કરે છે, તેને તેજસ સમુદ્દાત કહે છે. તે પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાત યોજન પ્રમાણ દંડાકારે આત્મપ્રદેશોને ફેલાવે છે અને તદ્યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને, તેજોલેશ્યાનો પ્રયોગ કરે છે. તેનો ઉદ્દેશ્ય અનુગ્રહ (સંરક્ષકશીતળતા) અને નિગ્રહ, (બાળવું-સંહારક) આ બંને પ્રકારનો સંભવે છે અનુગ્રહને માટે શીત તેજોવેશ્યા અને નિગ્રહ માટે ઉષ્ણ તેજોવેશ્યાનો પ્રયોગ થાય છે. આધુનિક વિજ્ઞાન પરમાણુ શક્તિનો ઉપયોગ નિર્માણ અને ધ્વંસ બંને માટે કરે છે. તે જ રીતે તેજોલબ્ધિનો પ્રયોગ પણ નિર્માણ અને ધ્વંસ બંને માટે થાય છે, આ સમુ,નો સીધો સંબંધ તેજસ શરીર નામકર્મ સાથે છે. આ સમુને તેજલેશ્યા સાથે કોઈ વસંબંધ નથી (૭ થી ૧૨ દેવોકના દેવો તેજોવેશ્યા ન હોવા છતાં તેજસ સમુ. કરી શકે છે જ્યારે યુગલિક તેજોલેશ્યા હોવા છતાં સમુ.
સમુપાત
(૧) વિશેષ પરિસ્થિતિમાં પોતાના આત્મપ્રદેશોનું બહાર પ્રક્ષેપણ કરવું તે ક્રિયાને સમુદ્દાત કહે છે. (૨) સમ=એકી સાથે, ઉદ્-ઉત્કૃષ્ટપણું, ઘાત=કર્મોનો બાત. જે ક્રિયામાં એકી સાથે ઉત્કૃષ્ટપણે કર્મોનો ઘાત-ક્ષય થાય તે ક્રિયાને સમુદ્દાત કહે છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) વેદના સમુદ્ધાત : વૈદનાના નિમિત્તે જે સમુદ્ધાંત થાય તેને વેદનાસમુદ્ધાત કહે છે. તે અશાતાવેદનીય કર્મજન્ય છે. જ્યારે જીવ વંદનાથી અત્યંત પીડિત થાય ત્યારે તે અનંતાનંત (અશાતા વેદનીય) કર્મ સ્કંધોથી વ્યાપ્ત પોતાના આત્મપ્રદેશોને શરીરની બહારના ભાગમાં ફેલાવે છે. તે મુખ, ઉંદર આદિ પોલાણને તથા કાન અને ખભાની વચ્ચેના અંતરાલોને ભરી દઈને, લંબાઈ અને પહોળાઈમાં શરીર પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપ્ત થાય છે. જીવ એક અંતર્મુહૂર્ત પર્યંત આ અવસ્થામાં રહે છે. આ ક્રિયાનું નામ વેદના સમુદ્દાત છે. તે અંતર્મુહૂર્તમાં અશાતાવેદનીય કર્મના ઘણા પુદ્ગલો વેદન થઈને ય પામે છે. શાતાવેદનીય સમુદ્ધાને ન થાય.
(૨) કષાય સમુદ્લાત: ક્રોધાદિ કષાયના કારણે થતા સમુદ્દાતને કષાય સમુદ્દાત કહે છે. તે મોહનીય કર્મને આશ્રિત છે. તીવ્ર કષાયના ઉદયમાં જીવ જ્યારે ક્રોધાદિયુક્ત બને છે ત્યારે આત્મપ્રદેશોને બહાર ફેલાવીને, મુખ, ઉદર આદિ શરીરગત પોલાણ તથા કાન અને ખભાની વચ્ચેના ભાગમાં વ્યાપ્ત કરે છે. વ્યાપ્ત થઈને આત્મપ્રદેશો શરીરમાળ લાંબા-પહોળાં ક્ષેત્રમાં અંતર્મુહૂંત પર્યંત સ્થિર રહે છે. આ ક્રિયા કષાય સમુદ્ધાંત છે. તે સમયમાં કાય મોહનીય કર્મના પુદ્દો વેદન થઈને ક્ષય પામે છે. આ સમુદ્ધાતનો સંબંધ કષાય સાથે હોવાથી ચારિત્ર મોહનીય કર્મમાં જ થાય છે.
(૩) મારણાંતિક સમુદ્દાત : મૃત્યુ સમયે, આયુષ્યકર્મને આશ્રિત જે સમુદ્ધાત થાય તેને મારણાન્તિક સમુદ્ધાત કહે છે. આયુષ્યકર્મ ભોગવતાં ભોગવતાં જ્યારે અંતર્મુદ્ભૂત પ્રમાણ શેષ રહે ત્યારે પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને શરીરમાં મુખ, ઉદર વગેરે પોલાણ પ્રબુદ્ધ સંપા
૧૭૦