Book Title: Prabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Author(s): 
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 193
________________ કરવાનું રહેતું નથી. એટલે સામાન્ય લોકો સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન પૂછે છે કે જે ખેતી કરું, ગૌસેવા કરું, ખાદી કાંતે અને પછી તેને કેવી રીતે સાધુ કહેવાય ? પરંતુ આપણે ત્યાં તો સંતોએ મહાન કર્મયોગી શ્રીકૃષ્ણની મૂર્તિ ઊભી કરી છે. તે તો મોરલી વગાડતો. વગાડતો ગાયો ચારતો હોય, ઘોડાની ચાકરી કરતો હોય, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં એઠાં પતરાળાં ઊંચકતો હોય અને મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથિ તરીકેનું કામ કરતો હોય, તેવી છે. તે જ પ્રમાણે જે સંતોને પોતાનાં આસક્તિરહિત ઈશ્વ૨સમર્પિત કર્મોથી ઈશ્વર પ્રાપ્તિ થઈ હોય એમાંના કોઈ સંત દરજીકામ, તો કોઈ કુંભારકામ, તો કોઈ મરેલાં ઢોર ખેંચી જનારા ખાલપાનું કામ કરતા હોય છે. વિનોબાજી જ્યારે ગાંધીને એમના અમદાવાદ આશ્રમમાં પહેલી વાર મળ્યા ત્યારે ગાંધીજીને શાક સમારતા જોઈને એમને આશ્ચર્ય થયેલું. દિગ્ધ કર્મયોગના માર્ગ પરથી પણ કોઈકવાર સાધુસંતોની પતનના માર્ગે ચાલ્યા જવાની શક્યતા રહે છે. તેના મૂળમાં આપણી ઇન્દ્રિયોનો ખાસ સ્વભાવ છે. ખાસ કરીને સતત વિચારતું અને વિહરતું રહેતું માનવમન રાગદ્વેષના દ્વંદ્વમાં રોકાયેલું હોય છે. જે વ્યક્તિ કે વિચાર આપણને ગમે તે માટે તા રાગ અને ન ગમે તેના ત૨ફ એટલો જ તીવ્ર તિરસ્કાર અને દ્વેષ હોય છે. ઈશ્વર સમર્પણયુક્ત, નિષ્કામ કર્મયોગ તો દિવ્ય આનંદની અનુભૂતિ કરાવનારો હોય છે, પરંતુ રાગદ્વેષના ચક્કરમાં સપડાઈને આપણે તે ગુમાવી બેસીએ છીએ. શ્રીકૃષ્ણ નીચેના શ્લોક દ્વારા આપણને સજાગ− સતર્ક થવાનું કહે છે – ઈન્દ્રિયસ્ચેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષી વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છન્તો ઘસ્ય પરિપન્થિનૌ ।। પ્રત્યેક ઈન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે પરંતુ મનુષ્ય ઈન્દ્રિયોના વિષયોના નિયંત્રણમાં આવવું જોઈએ નહીં કારણકે તે બંને આત્મસાક્ષાત્કારના ક્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે -આ માર્ગમાં અવરોધક છે. (અધ્યાય ૩, શ્લોક ૩૪) કર્મયોગની વધારે વિસ્તૃત ચર્ચા શ્રીકૃષ્ણ ‘જ્ઞાનકર્મસંન્યાસ યોગ’ નામના ચોથા અધ્યાયમાં આગળ ચલાવે છે. અહીં કર્મ, વિકર્મ અને અકર્મના સ્વરૂપની સમજણ આપવામાં આવી છે. કર્મો ધિ બૌદ્રર્ય, બૌદ્ધમં ચ વિકર્માઃ | અકર્મણો બોદ્રવ્ય ગહના કર્મણો ગતિઃ ।। કર્મ, વિકર્મ અને અકર્મનું સ્વરૂપ જાણવું જોઈએ કારણ કે કર્મની ગતિ અતિ ગહન છે. (અધ્યાય ૪, શ્લોક ૧૭) કેટલાક શબ્દો આપણે રોજબરાજના જીવનમાં સાંભળતા હોઈએ છીએ પરંતુ એના ગહન અર્થનો ખ્યાલ હોતો નથી. કર્મ પણ આવો જ એક શબ્દ છે જે જન્મથી મૃત્યુ પર્યંત માનવજીવન સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. આમ હોવાથી જીવન જીવવું અને વિવિધ કર્મો કરવાં એ બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલાં છે. કર્મોનું વર્ગીકરણ– સાધન કર્મ, સેવા કર્મ, ભગવત્પ્રીત્યર્થ કર્મ, ભાગવતકર્મ - આ રીતે કરવામાં આવ્યું છે. સર્વ પ્રકારનાં કર્મોમાં ભાગવતકર્મનું મૂલ્ય સૌથી વધારે ઊંચું ગણાયું છે. ઈશ્વર પ્રબુદ્ધ સંપદા ૧૮૦ સ્વયં પોતાના કાર્ય માટે કોઈ વ્યક્તિની પસંદગી કરે અને તેની પાસે માનવજીવન ઊર્ધ્વગામી બને તેવું કર્મ કરાવે તે ભાગવતકર્મ. મહાત્મા ગાંધી, શ્રી અરવિંદ, મા મહર્ષિ દ્વારા સ્વયં ઈશ્વર એ કાર્યો કરાવ્યાં તે ભાગવતકર્મ ગણાય. રામકૃષ્ણ પરમહંસનું જીવન વાંચતાં આપણે જોઈએ છીએ કે ઘણા પ્રસંગોએ એમણે સ્વામી વિવેકાનંદને કહ્યું છે કે આ હું ક્યાં બોલું છું? કાળીમાતા બોલાવે છે તે પ્રમાણે હું બોલું છું. એ જ પ્રમાણે સ્વામી વિવેકાનંદનું વિશ્વધર્મ પરિષદમાં જવું અને હિંદુ ધર્મની ઊંડી સમજણ ધરાવતું વક્તવ્ય આપવું એ આ પ્રકારનું ભાગવતકર્મ ગણાય. માનવ જીવનમાં કેટલાંક ન કરવા યોગ્ય અનીતિપૂર્ણ અને અપ્રમાણિક્તા પ્રચુર કાર્યો થતાં આપણે જોઈએ છીએ. તેમને વિશે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ ત્યારે આપણે ખિન્નતા અને નિરાશા અનુભવીએ છીએ. રોજબરોજ દૈનિકપત્રોમાં ખૂન, ચોરી, લૂંટ, વ્યભિચાર વગેરે અંગેના સમાચાર વાંચીએ છીએ. જે નિધ્ધિકર્મો ગાવામાં આવ્યા છે અને ઉપરના વર્ગીકરણમાં સ્થાન પામતાં નથી. નિધ્ધિકર્મોની જેમ ભોગકર્મોનો સમાવેશ પા ઉપરોક્ત વર્ગીકરણમાં થતો નથી. નિષિધ્ધકર્મોની સરખામણીમાં ભોગકર્મો ઓછાં અનિષ્ટપૂર્ણ હોવા છતાં, સાધનાના ઊર્ધ્વગામી માર્ગ પર પ્રગતિ કરનાર માટે વર્જ્ય છે. આ જ પ્રમાણે દરેક પ્રકારની ઈચ્છાઓ અને કામનાઓ, પાપકર્મો અને નિષિધ્ધકર્મો જેટલી હાનિકારક ન હોવા છતાં એમાંથી અહંકાર, રાગ, દ્વેષ જેવાં તત્ત્વો નીકળી જાય પછી જ સાધન કાર્ય બને છે. નિષ્કામ કર્મ બાંધતું નથી. પરંતુ કામનાઓ પૂર્ણ ક૨વા માટે થયેલાં કર્મો બાંધે છે અને સમાધનમાર્ગમાં અવરોધક બને છે. આપણું. કર્મ નિષ્કામ રહે એટલા માટે સ્વધર્મના આચરણની ખૂબ આવશ્યક્તા રહે છે પરંતુ સ્વધર્મનું આચરણ પણ સકામ હોય એમ બને. કોઈ વ્યક્તિ બહારથી અહિંસક દેખાતી હોય પરંતુ મનની અંદર હિંસક હોઈ શકે કારણકે હિંસા મનનો ધર્મ છે. આમ હોવાથી બાહ્ય દૃષ્ટિએ હિંસા કર્મ ન કરનાર વ્યક્તિ અહિંસામય બની ગઈ છે. એમ માનવું અત્યંત ભૂલભરેલું છે. બાહ્ય દૃષ્ટિએ કોઈ વ્યક્તિનું કર્મ કામભાવનાથી પ્રેરિત ન હોવાનું દેખાતું હોવા છતાં, મનની અંદર કામભાવના પ્રજ્વલિત હોઈ શકે છે. માટે જ કામદેવને મનસિજ માનવામાં આવે છે. આમ નિષ્કામતા મનનો ધર્મ હોવાથી સ્વધર્મના આચરણની સાથે સાથે સૂક્ષ્મ આત્મપરીક્ષણ દ્વારા મનનો મેલ કાઢી નાખવો ખૂબ જરૂરી છે. ગીતામાં કર્મનો અર્થ સ્વધર્માચરણાનો કરવામાં આવ્યો છે. પરંતુ સ્વધર્માચરણ રૂપી કર્મને નિષ્કામ કર્મ સુધી લઈ જવા માટે રાગદ્વેષ, કામક્રોધને જીતવાની આવશ્યક્તા છે. આમ આત્મપરીક્ષણ અથવા ચિત્તના સંશોધન માટે જે કર્મ કરવાનું છે તેને ગીતામાં વિકર્મ ગણવામાં આવ્યુ છે. થોડા પુનરાવર્તનના ભોગે એમ કહેવું જરૂરી છે કે બાહ્ય સ્વધર્માચરણની સ્થૂળ ક્રિયા તે કર્મ પરંતુ એને મનના ઊંડાણમાંથી સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવું, રાગદ્વેષથી મુક્ત કરવું તેનું નામ વિકર્મ. ગાંધીયુગની આપણા દેશને મળેલી આધ્યાત્મિક ક્ષેત્રની એક મૂલ્યવાન દેશ તે વિનોબા ભાવે. તેઓ લખે છે, 'બહારથી શંકરના લિંગ પર એકસરખી ધાર કરી અભિષેક કરું છું, પણ પાણીની એ ધારની સાથે સાથે માનસિક ચિંતનની અખંડ ધાર ચાલતી નહીં હોય તો એ અભિષેકની કિંમત શી? પછી તો સામેનું શિવનું લિંગ એ એક પથ્થર ને હું પણ પથ્થર. ને

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321