________________
અન્ય દર્શનોની ભૂમિકામાં બૌદ્ધદર્શનમાં કર્મસિદ્ધાંત
E ડૉ. કલા શાહ
[ડૉ. કલાબેન શાહ મુંબઈ યુનિવર્સિટીના જૈન ધર્મ અને ફિફ્લોસોફી વિભાગ માટે નિયુક્ત ગાઈડ છે, ધર્મ, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ વિષયક પતાં પુસ્તકો પ્રગટ થયા છે. તેઓ જૈન ધર્મ વિષયક લેખો લખે છે. તેમના માર્ગદર્શન હેઠળ ૨૨ વ્યક્તિઓએ પીએચ. ડી. કર્યું છે, જે ગૌરવ લેવા જેવી બાબત છે. ] ભગવાન બુદ્ધ : (૫૬૦ થી ૪૮૦ ઇ.સ.પૂ.)
બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. શુદ્ધોધન ઈવાકુ વંશના શોક્ય શાખાના એક શાસક હતા. તેઓનું નાનપણનું નામ સિદ્ધાર્થ હતું અને તેમણે 'બોધિજ્ઞાન' પ્રાપ્ત કર્યા પછી લોકો તેમને ‘બુદ્ધ'ના નામથી સંબોધવા લાગ્યા.
યુવાન થતાં તેમણે બીમાર, વૃદ્ધ અને મૃતને જોયા અને માનવની આ ત્રણ દશા તેમને દુ:ખમય લાગી. અને તેઓએ પોતાની પત્ની પર્ણોધરા અને પુત્ર રાહુલને ત્યજીને ગૃહત્યાગ કર્યો અને આ દુ:ખોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ શોધવા ચાલી નીકળ્યા. સંન્યાસ ધારણ કરીને તેમણે આલાર કલામના ગુરુત્વમાં શિક્ષકો પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ગુરુ ઉદક રામપુત્ર પાસે ગયા. તેમણે ગૌતમ બુદ્ધને તપસની શિક્ષા આપી અને ગૌતમે ગયાનગરના વટવૃક્ષ નીચે એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું જેના દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે.
તે સમયે શ્રમણ પરંપરાની બે શાખાઓ અસ્તિત્વમાં હતી. આ બે વિશાળ શાખાઓ. જૈન અને બૌદ્ધ ધર્મમાં આશ્ચર્યજનક સામ્ય પ્રતીત થયું. તેથી એક જ નદીની બે ધારાઓ વહી રહી છે તેવો અનુભવ થવા લાગ્યો.
ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ અને શ્રમણ, તીર્થ તથા ધર્મચક્રના પ્રવર્તક, લાંકભાષાના પ્રોંકતા અને દુ:ખમુક્તિની સાધનાના સંગમસ્થાન હતા.
ભગવાન મહાવીર કઠોર તપશ્ચર્યા અને ધ્યાન દ્વારા કેવલી બન્યા. મહાત્મા બુદ્ધ છ વર્ષની કઠોર તપશ્ચર્યાથી સંતુષ્ટ ન થયા ત્યારે તેઓ ધ્યાનમાં લીન થયા અને તેમને સંબોધિ લાભ પ્રાપ્ત થો. કે વળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ મહાવીરે જે કહ્યું તે દ્વાદશાંગ િિપટક્રમાં ગૂંથાયું છે.
ર્માધિજ્ઞાન પ્રાપ્ત થયા પછી મહાત્મા બુદ્ધે જે કહ્યું તે ત્રિપિટકમાં ગૂંથવામાં આવ્યું છે.
ભગવાન બુદ્ધના મત મુજબ દુઃખ, દુઃખસમુદય, નિરોધ, માર્ગ આ ચાર આર્યસત્યો છે. જન્મ લેવો એ દુઃખ છે, વૃદ્ધ થવું દુઃખ છે, વ્યાધિ દુ:ખ છે અને મરવું એ પણ દુ:ખ છે.
ભગવાન બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી અને તેનો પ્રચાર કર્યો. બૌદ્ધ ધર્મ લગભગ ૧૨મી શતાબ્દી સુધી ભારતમાં અસ્તિત્વમાં હતો પણ હવે નોંદ્ર ધર્મ મોટે ભાગે તિબેટ, ચીન, જાપાન, થાઇલેંડ, સિલોન વગેરે દેશોમાં છે. બાંહોએ ભારતમાં નાલંદા, વિક્રમશીલ, તક્ષશિલા વગેરે મોટા મોટા વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરી. આ વિદ્યાલયોમાં રહેલી કૃતિઓ પરથી ખ્યાલ આવે પ્રબુદ્ધ સંપા
૧૮૨
છે કે બોહ્રધર્મના સાહિત્યનો ભંડાર બહુ વિશાળ હતો.
ધર્મશાસ્ત્ર : બૌદ્ધ ધર્મશાસ્ત્ર લગભગ ૧૨મી શતાબ્દી સુધી ભારતમાં હતો. બાંહોએ ભારતમાં મોટા મોટા વિદ્યાલોની સ્થાપના કરી. આ વિદ્યાલયોમાં ધર્મસાહિત્યનો ભંડાર બહુ વિશાળ હતો. ભગવાન બુદ્ધે પોતાના જીવનકાળ દરમ્યાન કોઈ પણ બુદ્ધવચન સંભવતઃ નથી લખ્યા. પરંતુ તેમના મૃત્યુ બાદ રાજગૃહમાં ૪૭૭ ઇ.સ. પૂ.માં એક સભા ભરાઈ હતી જેમાં બુદ્ધ પ્રવચનોને લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી સો વર્ષ બાદ ૩૭૭ ઇ.સ.પૂ.માં વૈશાલીમાં સભા થઈ. ત્રી સભા ૩૪૧ ઇ.સ.પૂ.માં પાટલીપુત્રમાં થઈ જેમાં ધર્મશાસ્ત્રોની પ્રામાણિક્તા સ્થિર કરવામાં આવી. જેન ત્રિપિટક એટલે ત્રણ બોક્સ (પેટી) કહેવામાં આવ્યા. ત્યાર બાદ તેને હીનયાન તથા થોરાવાદિયાનના ધર્મપુસ્તક માનવામાં આવ્યા અને મહાયાનોના વૈપુલ્ય સૂત્ર તથા ત્રિલિન્દ પ્રશ્ન મુખ્ય પુસ્તકો છે. તે ઉપરાંત ત્રિપિટક, વિનયપિટક, મુત્તપિટક અને અભિધર્મપિટક છે. બૌદ્ધધર્મમાં કર્મસિદ્ધાંત
સર્વપ્રથમ ભારતીય દર્શનમાં કર્મસિદ્ધાતની રૂપરેખા તપાસીએ તો જણાય છે કે ભારતીય જન-જીવનમાં કર્મ શબ્દ બાળક, યુવાન અને વૃદ્ધ બધાંની જીભ પર રહેલો હોય છે. ભારતના વિચારકો, દાર્શનિકો, મનોવૈજ્ઞાનિકો, તત્ત્વચિન્તકો વગેરે બધાં કર્મને એક અથવા બીજા રૂપે માને છે.
‘કર્મ’ શબ્દ ભારતમાં બધાં આસ્તિક ધર્મગ્રન્થો, દર્શનો અથવા ધર્મશાસ્ત્રોમાં યોજાયેલ છે. ભારતના બધાં આસ્તિક દર્શનો અને ધર્મોએ ‘કર્મ' અથવા તેના જેવી એક એવી સત્તાનો સ્વીકાર કર્યો છે જે આત્માની વિભિન્ન શક્તિઓના ગુો અથવા શુદ્ધત્તાને પ્રભાવિત, આવૃત્ત અને કુંઠિત કરી દે છે. કર્મના સ્થાન પર આ ધર્મદર્શનોએ તેના વિભિન્ન નામો આપ્યા છે.
વેદાન્તદર્શન તેને ‘માયા’ અથવા ‘અવિદ્યા કહે છે, સાંધ્યદર્શન તેને પ્રકૃત્તિ' અથવા સંસ્કારની સંજ્ઞા આપે છે. યોગદર્શનમાં તેને માટે ‘કર્મ-આશય' અથવા ‘ક્વોશ' વગેરે શબ્દો પ્રયોજાયા છે.
ન્યાય દર્શનમાં ‘અદૃષ્ટ” અને “સંસ્કાર શબ્દ વપરાય છે. બૌદ્ધદર્શનમાં કર્મને 'વાસના' અને 'અવિજ્ઞપ્તિ કર્યો છે. વૈશેષિક દર્શનમાં ધર્માધર્મ' શબ્દ છે, જૈન દર્શનમાં 'કર્મ' શબ્દ વપરાય છે. જૈન દર્શનમાં, જૈનાગમોમાં કર્મની સાથે કર્મમલ, કર્મ૨જ
વગેરે શબ્દપ્રયોગો થયેલા જોવા મળે છે.
વેદોમાં કર્મસિદ્ધાન્ત ઃ ઋગ્વેદમાં કેટલાંક સ્થળો પર 'કર્મ'નો અર્થ છે ધાર્મિક કૃત્ય (યજ્ઞ, દાન વગેરે). વૈદિક પરંપરામાં વેદોથી લઈને બ્રાહ્મણ સુધી યજ્ઞ-યાગ અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કર્મ કહેવાય છે.
વૈદિક ધર્મમાં કર્મને ત્રણ પ્રકારમાં વિભાજિત કર્યો છે. (૧) સંચિત કર્મ (૨) પ્રારબ્ધ અને (૩) ક્રિયમાણ (સંચીયમાન)