Book Title: Prabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Author(s): 
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 191
________________ કર્મયોગનું અર્થઘટન- શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંદર્ભે ઇ ડૉ. નિરંજન એમ. પંડ્યા [અર્થશાસ્ત્રમાં Pd. D.ની પદવી પ્રાપ્ત કરી. ૨૦૦૧માં મ.કહી શસ્ર ગ્રહણ કરે છે. સ. યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિષયના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્તિ. અત્યારે ગ્રાહકોના પ્રશ્નો અંગે કામ કરતી સંસ્થામાં કાર્યરત છે. એક સહકારી બેન્કમાં ચેરમેન છે. કોઈને પણ પ્રશ્ન થાય કે આવા ભયાનક સંહારક યુદ્ધના આરંભમાં ગૂઢ જ્ઞાનોપદેશ માટે આટલો બધો સમય શી રીતે ફાળવી શકાય? વ્યાસ મુનિએ કૃષ્ણ-અર્જુન સંવાદ દ્વારા આ તત્ત્વજ્ઞાનને પ્રત્યેક માનવ સુધી પહોંચાડવાનું ઉચ્ચ કોટિનું નિમિત્ત ઊભું કર્યું છે. બીજી રીતે જોઈએ તો દરેક વ્યક્તિ અને દરેક સમાજમાં ઈષ્ટ અને અનિષ્ટ, શુભ અને અશુભ તેમ જ મંગલ અને અમંગળ વચ્ચે સદાય તુમુલ યુદ્ધ ચાલતું જ હોય છે. પોતાના દ્વારા થતી ભૂલો અને તેનાથી આગળ વધીને સંપૂર્ણ ગણતરી તેમ જ સમજ સાથે થતાં પાપો સામે માનવનું આંતરિક મન વિરોધ કરે છે અને એ વિરોધને ધ્યાનમાં લઈને અધ્યાત્મ વિકાસના માર્ગે જેટલો આગળ વધે તે પ્રમાણે પોતાના જીવનમાં ઉપકારક ગણાય તેવું પરિવર્તન લાવે છે અને જીવનને ઉર્ધ્વગામી બનાવવા પ્રયત્નશીલ રહે છે. આનાથી વિપરીત, મોટા ભાગના માણસો આંતરમન દ્વારા થતા વિરોધને અવગણીને કે દબાવી દઈને, ખરાબ પ્રકારના અંગત સ્વાર્થ માટે થતાં કાર્યોમાં પ્રવૃત્ત રહે છે. દુનિયામાં આવા બે પ્રકારના માણસો વસે છે. ભગવદ્ગીતા એમને યોગી અને સામાન્યજન એમ બે વિભાગમાં વહેંચે છે. યા નિશા સર્વભૂતાનાં તાં જાગર્તિ સંયમી યસ્યાં જાતિ ભૂતાનિ સા નિશા પશ્યો મુને નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંચમી, જેમાં જાગે બધા ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા. (અધ્યાય - ૨, શ્લોક ૬) ગીતાના રચનાર શ્રીકૃષ્ણને આ શ્લોકનો સુક્ષ્મ અર્થ અભિપ્રેત છે. આ બંને પ્રકારના લોકોના માર્ગો ભિન્ન છે કારણકે જીવનના ધ્યેય અંગેની એમની સમજણ તદ્દન જુદી જુદી છે. જે મોક્ષમાર્ગનો યાત્રી છે તે ખૂબ સમજણપૂર્વક અને તેથી સંભાળપૂર્વક જીવન જીવે છે. પંચેન્દ્રિયો કહે તે પ્રમાણે કર્મો કરવાને બદલે, ઇન્દ્રિયોને વશમાં રાખીને, પરમાત્માની પરમકૃપાથી મળેલા આ માનવ જીવનને મોક્ષગામી બનાવવા માટે જરૂરી એવાં કર્મોમાં જ રચ્યાપચ્યા રહે છે. શ્રીમદ રાજચંદ્ર તો હીરાનો વેપાર કરતા હતા છતાં સરોવ૨માં ખીલેલું કમળ જેમ જળથી અસ્પૃશ્ય રહે છે તે પ્રમાણે તેમો સ્વધર્માચરણાનાં કર્મોથી જરાપણ દૂષિત થયા વગર, અધ્યાત્મ ક્ષેત્રે એટલી પ્રગતિ કરી કે મહાત્મા ગાંધીજીને પણ હિંદુધર્મ અંગે કેટલાક મૂળભૂત પ્રશ્નો ઊભા થયા તેમનું શ્રીમદે સારી રીતે સમાધાન કરી આપ્યું. આથી વિરુદ્ધ, મોટા ભાગના લોકો પંચેન્દ્રિયોના વશમાં રહીને, અત્યંત સ્વાર્થમય જીવન જીવ્યા કરે છે. આ બધા લોકો ગીતાના શ્લોકમાં બતાવેલા સર્વભૂતાનામ અથવા ભૂતાનિમાં આવી જાય છે. આમ બંનેનું ધ્યેય જુદું એટલે માર્ગ જુદા અને ધ્યેય સિદ્ધિ માટેનાં સાધનોની ગુણવત્તા પણ તદ્દન ભિન્ના યોગીનાં સાધનો અત્યંત સાત્વિક વૃત્તિથી, નિષ્કામ ભાવથી થયેલાં કર્યો છે. જ્યારે સર્વભૂતાનામ એટલે સામાન્યજનોનાં કર્મો, રજસ અને તમસ ગુણો દ્વારા આચરાયેલાં કર્મો છે જેનાથી આવા માનવોને જીવનની અંતિમ અવસ્થામાં વેલ્થની નથી હું ઈચ્છતો છત, નહીં રાજ્ય, નહીં સુખો; રાજ કે ભોગ કે વ્યું, અમારે કામનુંશું? અધ્યાય ૧, શ્લોક ૩૨ આવી ઘેરી હતાશાની પરિસ્થિતિમાંથી અર્જુનને બહાર કાઢીને, સમજણપૂર્વક યુદ્ધ માટે તૈયાર કરવા શ્રીકૃષ્ણે કુલ અઢાર અધ્યાયના ૭૦૦ શ્લોકો દ્વારા, અર્જુનના નિમિત્ત દ્વારા સમસ્ત માનવજાતને જ્ઞાન આપ્યું છે. આ ઉપદેશથી અર્જુનના મનનું સમાધાન થાય છે, મોહ દૂર થાય છે અને સ્વધર્મનું જ્ઞાન થતાં અંતે ‘કરિષ્યે વચનં તવ’તીવ્ર લાગણી થાય છે. એમનાં જીવનકર્મોથી સમગ્ર માનવજાતને કે પ્રબુદ્ધ સંપા ભારતે, વિશ્વને આપેલો તત્ત્વચિંતનનો શ્રેષ્ઠ ગ્રંથ છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા'. ગાંધીજીએ કહ્યું છે કે દુનિયાનાં બધાં પુસ્તકોમાંથી મને કોઈ એક શ્રેષ્ઠ પુસ્તક પસંદ કરવાનું કહે તો હું નિઃસંકોચો શ્રીમદ્ ભગવદ્ ગીતાને પસંદ કર્યું. આપણા દેશમાં સેંકડો વર્ષોથી પોતાના અસ્તિત્વનાં મૂળિયાં શોધવાની અને માનવજીવનનો ઉદ્દેશ તેમ જ સાર્થકતા જાણવા- સમજવાની મથામણ ઋષિમુનિઓ દ્વારા થતી રહી છે. એ મૂળભૂત બ્રહ્મજિજ્ઞાસામાંથી જે સમૃદ્ધ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું તેનો સાર એટલે મહર્ષિ વ્યાસ દ્વારા રચાય ા મહાભારતમાં સમયને સ્થગિત કરી દઈને ભગવાન શ્રીકૃષ્ણના સ્વમુખે અર્જુનને ઉપદેશરૂપે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર આપવામાં આવેલું ગીતાજ્ઞાન મહાભારતના મહાસંહાકર યુદ્ધના આરંભની ક્ષોમાં, સામે પક્ષે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ તેમ જ કૃપાચાર્ય જેવા સ્વજનો અને વડીલોની સાથે યુદ્ધ માટે પ્રતિબદ્ધ બંને પક્ષના લાખો સૈનિકોને જોઈને અર્જુન ઊંડી વિષાદ અનુભવે છે. યુદ્ધને અંતે થનારા વિનાશ અને તેને આનુષંગિક ઉદ્ભવતાં સામાજિક દુષોના વિચારથી તે અત્યંત ખિન્ન બને છે. તે શ્રીબાને કહે છે - કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતાં સમસ્ત કુળમાં પાપ ફેલાઈ જાય છે. (અધ્યાય ૧, શ્લોક ૪૦), હે કૃષ્ણ! પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હું વાર્ષ્યાથ! જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે. (અધ્યાય ૧, શ્લોક ૪૧), અર્જુન આવું દુઃખદ પરિણામ ઈચ્છતો નથી. આમ અર્જુન વિષાદ યોગથી ગીતાનો આરંભ થાય છે. વડીલો, ગુરુજનો તેમ જ લાખો સૈનિકોના સંહારને અંતે પ્રાપ્ત થનારા વિજય અને હસ્તિનાપુરના સિંહાસનનું અર્જુનને કોઈ આકર્ષણ નથી. શસ્ત્રો હેઠાં મૂકી યુદ્ધ નહીં કરવાના નિર્ણય સાથે હતાશ થઈને રથમાં બેસી જતો અર્જુન, પોતાના સારથિપદે સ્થિત શ્રીકૃષ્ણને પ્રશ્નો અને પરિપ્રશ્નો કરતો રહે છે, એના પ્રત્યુત્તરમાં માનવ જીવનને ઉર્ધ્વગામી કે નિમ્નગામી બનાવતાં સર્વ પરિબોને સમાવી લેતો શ્રીકૃષ્ણનો ઉપદેશાત્મક સંવાદ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા. ન કાઢ્યું વિજયં ક્રૃષ્ણ ન ચ રાજ્ય સુખાનિ ચ િનો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈઈવર્તન વા।। ૧૭૮

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321