________________
કર્મવાદ અને મોક્ષ
1 ચંદ્રહાસ ત્રિવેદી
લેખક અર્થકારણ અને રાજકારણમાં એમ. એ. થયેલા છે, અધ્યાપક, આકાશવાી પર ઉદ્ઘોષક, વિવિધ સાહિત્યના સર્જક અને 'ગુજરાત સમાચાર'માં 'અગમ-નિગમ' સ્તંભ અને ધર્મોક'માં 'વિમર્શ' સ્તંભના લેખક છે. સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનું પરિશિલન કરનાર અને વિવિધ ધર્મોના પ્રખર ઊંડા અભ્યાસી છે.]
ભારતીય ધર્મધારાઓમાં મોલની વાત કરવામાં આવે છે અને તેને ચરણ પણ માનવામાં આવે છે. વિવિધ ધર્મોએ મોક્ષ અંગે જે વિચાર કર્યો છે તેમાં થોડીક ભિન્નતા દેખાય છે પણ એક વાતનું તો સામ્ય છે કે મોક્ષ એ કૃતકૃત્ય અવસ્થા છે. તે પ્રાપ્ત થયા પછી જીવે બીજું કંઈ પ્રાપ્ત કરવાનું હેતું નથી. મોક્ષના વિચારને સમજવા માટે કેટલાક વિચારકોએ તેને ભૌગોલિક સ્થળ તરીકે સ્થાપ્યો જ્યાં જીવને માત્ર સુખાનુભવ જ રહે મોક્ષ ભૌગોલિક સ્થાન છે કે નહીં એની ચર્ચામાં આપણે ન પડીએ તો પણ આપણે એક વાત નો સ્વીકારવી પડશે કે મોક્ષ મુક્ત થવાની વાત કરે છે. મોક્ષ શબ્દનો અર્થ જ મુક્તિનો થોતક છે. જ્યાં બંધન છે ત્યાં સુખાનુભવ કેવો ? મુક્ત શેમાંથી થવાનું ? મુક્ત કોળું થવાનું? મોક્ષની અભિલાષા, મોક્ષનું લક્ષ્ય એ વાતનો નિર્દેશ કરે છે કે આપણે ક્યાંક બંધાયેલા છીએ અને તેમાંથી આપણે મુક્ત થવાનું છે.
આમ, કર્મવાદ માલ સાથે ગાઢ રીતે સંલગ્ન છે. જીવ કર્મથી બંધાયેલો છે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી બંધન છે અને બંધન છે ત્યાં દુઃખ છે, વેદના છે, પરાધીનતા છે. કર્મનું એવું ચક્કર ચાલ્યા જ કરે છે કે તે ક્યાંય અટકતું નથી. પૂર્વકર્મ ભોગવાતાં જાય અને નવાં બંધાતાં જાય. આમ, કર્મનો સ્ટોક ક્યારેય ખાલી થતો નથી. કર્મ માત્ર બંધન છે, કારણ કે તેમાં પરાધીનતા છે છતાંય આપણને પુણ્યકર્મ ગમે છે કારણ કે તેમાં સુખાભાસ થાય છે. તત્ત્વજ્ઞોએ તો પુણ્યકર્મને પણ બંધન ગણ્યું છે અને તેનાથી પણ મુક્ત થવાની વાત કરી છે. સુખાનુભવ મુક્તિમાં છે. સુખાભાસમાં નહીં આ વાતને ધીરજથી સમજવાની છે. પુણ્યકર્મનો એમાં નિષેધ નથી કારણ કે પુણ્યકર્મને સહારે મનુષ્ય પાપકર્મોને હઠાવે છે. પણ પુણ્યકર્મ અંતે તો છોડી દેવા જેવું છે. કારણ કે તે પણ બંધન તો છે જ. જેમ ઉપર ચડનાર માણસ દોરડાનો સહારો લે પણ નિસરણી ચડી ગયા પછી દોરડું છોડી દે છે, તેને પકડી રાખતો નથી તેમ છેવટે પુણ્યકર્મ પણ છોડી દેવાનું છે. આ બહુ સૂક્ષ્મ વાત છે. રેશમની દોરીથી બાળકને બાંધો કે લોખંડની સાક્યથી બાંધો પણ બંધન એ બંધન એમાં કોઈ શંકા નથી. પુણ્યને પણ છોડવાની વાત સાધનાના છેલ્લા પગથિયું છે નહીં કે પહેલે પગથિયું. ઘણીવાર મોટા મોટા ચિંતકોએ પણ આ બાબતે ઉતાવળ અભિપ્રાય આપ્યા છે જેથી તે અંગે ઘણી ગેરસમજ પ્રવર્તે છે.
આમ, મોક્ષ જીવ માત્રનું ચરમ લક્ષ્ય હોવું જોઈએ કારણ કે તેમાં અનંત સુખાનુભવ છે. મોક્ષની નિષેધાત્મક કલ્પના આપણને માન્ય નથી. જો મોક્ષ કંઈ જ ન હોય તો પછી મેળવવા જેવું શું રહ્યું? હવે જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો કર્મના બંધનમાંથી છૂટવું જોઈએ. જો આપણને કોઈએ બાંધ્યા હોય તો તે કર્યો. કર્મનું બંધન તૂટતાં જ હેસો મુક્ત થઈને માનસરોવરને કાંઠે બેસી થીરનું અમૃતનું પાન કરવાનો,
માટે જ કોઈ વિચાર, ભાવ કે ક્રિયા કર્મના વિષચક્રને તોડે તે સાધના છે. કર્મવાદનો અભ્યાસ આપણને કર્મના કોઠાઓનું જ્ઞાન આપે છે કે જેને પ્રબુદ્ધ સંપા
૧૭૨
સહારે આપણે સાતેય કોઠા જીતી બહાર આવી જઈ શકીએ. આપણે કર્મબંધ વિષે જાણ્યું, કર્મના ભોગવટાનો વિચાર કર્યો, નિમિત્તોની પ્રબળતા સમજ્યા, કર્મનો વિપાકોદય અને પ્રદેશોદય ચર્ચા ગયા એ બધાનો સાર એટલો જ છે કે કર્મ બાંધો થોડાં, પણ તોડો ઘણાં. સાધનાનો અર્થ એટલો જ છે કે ઉદયમાં આવેલાં કર્મોને નિષ્ફળ બનાવો, નવાં કર્મોને આવવા ન દો. બાંધેલાં કર્મોને ખંખેરી નાખી, ઝાટકી નાખો. ગમે તેમ કરી કર્મને કાઢો. છેવટે ભોગવીને પણ કર્મને કાઢી.
તેથી ઘણી વાર આરાધકો સામે ચાલીને નિમિત્તો આપીને કર્મોને ખેંચી લાવી ભોગવવાનું પસંદ કરે છે. કર્મનું દેવું ચૂકવ્યા વિના કોઈ તેના સામ્રાજ્યની સરહદ ઓળંગી શકે તેમ નથી. તેથી જ્યારે મનુષ્યભવ મળ્યો છે, ધર્મની અનુકૂળતા છે, દેવ-ગુરુની નિશ્રા સુલભ છે ત્યારે કર્મનો હિસાબ ચોખ્ખો કરી નાખો. પણ અહીં એક વાતે સાવધ રહેવાનું છે કે સામેથી કર્મને ખેંચી લાવી ભોગવવાની પ્રક્રિયા ધર્મશૂરાઓએ કરવા જેવી છે. સામાન્ય જીવોએ નહિ, કારણ કે વગર તાકાત આ પ્રયોગ કરનાર ઊલટાનો ફુટાઈ જાય.
શું
જો કર્મ ભોગવીને કાઢવાનાં હોય તો તો કરોડો વર્ષો તો શું કરોડો જન્મો જોઈએ. વળી કર્મના ભોગવટા વખતે નવાં કર્મ બંધાતા જાય તેનું શું ? તેથી સાધના એનું નામ કે જે કરોડો વર્ષ ચાલે એટલાં કર્મનો સ્ટોક બે-ત્રણ જન્મમાં ખતમ કરી નાખે અને મુક્ત થઈ જાય.
આમ જોઈએ તો કાળ ઉપર આપણો બહુ કાબૂ નથી પણ સાધનામાં કાળ બહુ જાગતી ચીજ છે. સાધનામાં તો કર્મની સ્થિતિનેમુદતને ઉત્તરોત્તર તોડીને ટૂંકી કરવાની છે. કર્મની સ્થિતિ જેટલી તૂટે એટલી પ્રગતિ, એટલી ગુણપ્રાપ્તિ વધારે સાધનામાં જ્યારે પ્રવેગની એક્સીલરેશનની સ્થિતિ સર્જાય છે તેને ક્ષપકશ્રેણી કહેવામાં આવે છે તે કાળનો ઘાત કરીને જ મંડાય છે. તે સમયે કરોડો વર્ષે કે જન્મે જેનો ભોગવટો થઈ શકે તેવાં કર્મોની સ્થિતિ-કાળમર્યાદા, લાખ્ખો નહિ, હજારો નહિ, અરે, સેંકડો નહિ પણ છેવટે બે-ત્રણ ઘડી સુધી આવી જાય છે. ઉત્કૃષ્ટ આરાધના કરનાર તો કર્મોને એક જ જન્મમાં પૂરાં કરી નાખવાની પેરવી કરે છે. આત્માના ગુણો પ્રગટ થતા જાય તેમ ક્રર્મની સ્થિતિ તૂટતી જાય, કર્મની સ્થિતિ તૂટે એટલે તેનો ભોગવટાકાળ તૂટે, પણ તેના પરમાણુઓ તો એટલા ને એટલા જ રહે. જે કર્મ-પરમાણુઓ લાંબા કાળમાં ભોગવવાના હોય તે પછી અલ્પકાળમાં પ્રદેશો દયથી ભોગવાઈ જાય. કર્મ-પરમાણુઓ જીવ સાથે ચોંટેલા હોય છે જે બે રીતે તેનાથી વિમુક્ત થાય. એક તો કર્મ ભોગવાય એટલે તે ખરી પડે. બીજી રીત છે પ્રદેશયની જેમાં કર્મની અસ૨ ન વર્તાય અને તે ખરી પડે.
કરેલા કર્મો અવશ્ય ભોગવવાં પડે એમ જે કહેવાય છે તે કર્મના પરમાણુઓની અપેક્ષાએ જપ-તપ-વ્રત-દાન-ધર્મ-સદાચાર-ધ્યાનયોગભક્તિ બધાંનો ગૂઢાર્થ એ છે કે કર્મને તોડો-ખંખેરી નાખો. આ બધાં અનુષ્ઠાનો કર્મની સ્થિતિ અને રસને તોડી નાખવામાં સહાય કરે છે. કર્મનો રસથાત થતાં કર્મ તાકાત વગરનાં બની જઈને ખરવા લાગે છે.
રસઘાતની પ્રક્રિયા તો સ્થિતિઘાત કરતાંય ઝડપી હોય છે. સાધનાની
અંતિમ કક્ષાએ સાધક બધા જ કર્મદલિકોને પ્રદેશોદથી સૂકવીને, તપ્ત કરીને ખંખેરી નાખે છે જેને કેળવી સમુદયાતને નામે ઓળખવામાં આવે