________________
તેની આવી દયનીય દુર્દશાનું કારણ તેના પૂર્વભવમાં દુષ્ટતાથી આરિત અશુભ પાપકારી કૃત્યો હતો. પૂર્વભવમાં તે ઈકાઈ રાઠોડ નામનો રાજનિયુક્ત પ્રતિનિધિ હતો. જે મહાઅધર્મી, અધર્માનુગામી, અધર્મનિષ્ઠ, અધર્મભાષી, અધર્માનુરાગી, અધર્માચારી, પરમ અસંતોષી હતો. તે પાંચસો ગામોનું આધિપત્ય-શાસન કરતો હતો. ત્યાંના ખેડૂતોનું કર-મહેસૂલ તે દમનથી, લાંચથી, અધિક વ્યાજથી, હત્યા આદિનો અપરાધ લગાવીને કરતો હતો. પ્રજાને દુ:ખિત, તાડિત, તિરસ્કૃત અને નિર્ધન કરવામાં આનંદ લેતો હતો, છેતરપીંડી અને માયાચારને પોતાનું કર્તવ્ય સમજતો હતો.
આવા મર્લિન પાપકર્મોનાં આચરણનું ફળ તેણે આગામી ભવોમાં તો ભોગવ્યું પણ તે જ ભવમાં પણ ભોગવ્યું. તેને સોળ પ્રકારના રગતિક (અસાધ્ય રોગ) ઉત્પન્ન થયા. તેની ચિકિત્સા કરવામાં કોઈ વૈદ્ય કે ચિકિત્સક સમર્થ ન થઈ શક્યા. આમ જ જીવન વ્યતીત કરી મરીને તે પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી મૃગાપુત્ર તરીકેનો અત્યંત દયનીય ભવ મળે છે.
આ અયનનું અર્કબિંદુ એ જ છે કે રાજસત્તાનો દુરુપયોગ કરનાર, લાંચ લેનાર, પ્રજા પર અનુચિત કરનો ભાર નાંખનાર, સત્તા અને પુણ્યના નશામાં ચકચૂર બનેલા માનવો અન્થની ફિકર કરતા નથી પણ પો તાના જ ભાવી ભશે ની પણ પરવા કરતા નથી. આજના લાંચ-રૂશ્વતના વાતાવરણમાં પ્રસ્તુત સૂત્ર સમીક્ષાપાત્ર બની રહે છે.
દુ:ખવિપાકના બેથી આઠ અયનના કથાનાયકો માંસાહાર કરનાર, નિરપરાધ ભોળા પશુઓને સંત્રાસિત કરનાર, વેશ્યાગમન કરનાર, ઈંડાનું સેવન કરનાર, ચોરી કરનાર, પંચેન્દ્રિય વધ કરનાર, મદ્યપાન ક૨ના૨, હોમયજ્ઞ માટે બાળકોના કુમળા હૃદયની બલિ કરનાર, હિંસાચાર ક૨ના૨ વગેરે અધમ પાપાચાર ક૨ના૨ છે. તેઓ તેમના દુ:ખદાયી કર્મોનાં કેવાં કટુ પરિણામો ભોગવે છે તેનો હૃદયસ્પર્શી
અહેવાલ તે સાત અધ્યયનોમાં છે.
નવમા અને દશમા અધ્યયનના પાત્રોમાં બે સ્ત્રી પાત્ર છે. દેવદત્તા અને અંજુશ્રી. ભોગાસક્ત દેવદત્તાની સ્વાર્થવૃત્તિ એટલી બધી ભયંક૨ હોય છે કે તે પોતાના સંબંધ ભૂલી જાય છે અને ક્રોધાવેશમાં ન કરવાનાં કામ કરે છે. પૂર્વભવમાં ૪૯૯ સાસુઓને જીવતા સળગાવી દેનારી દેવદત્તા. તે બવમાં સાસુની હત્યા કરે છે.
દશમા અધ્યયનની અંજુશ્રી પૂર્વભવમાં અનર્થોની ખાણ સમાન કામભોગોમાં લીન રહીને દુઃખોની પરંપરા વધારે છે.
આમ દુઃખવિપાક સૂત્રમાં દુર્જાના કડવાં પરિણામો બતાવ્યાં છે, જ્યારે વિપાક સૂત્રના બીજા શ્રુતસ્કંધ સુખવિપાક સૂત્રમાં પુણ્યશાળી પુરુર્ષા દાન વગેરે સત્કાર્ય કરી, સુખ ભોગવતાં સમ્યક્ દર્શન પામી, સમ્યક્ સંયમ તપમાં પુરુષાર્થ ચોરવી, સિદ્ધગતિના શિખર સર કરશે, તેનું સદૃષ્ટાંત નિરૂપણ છે.
પ્રથમ અધ્યયનમાં સુબાહુકુમારનું વર્ણન છે. પરમ પુણ્યના ઉદયથી સુબાહુકુમારને રાજ પરિવારમાં જન્મ અને શ્રમણ ભગવાન મહાવીરના સમાગમનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, તેમને એટલી બધી સુંદર, મનોહર, સૌમ્ય અને પ્રિય આકૃતિ મળી હતી કે ગોતમ સ્વામી જેવા વિરક્ત મહાપુરુષનું હૃદય પણ તેમના તરફ આકુષ્ટ થયું હતું. તેમની તેવી મનોહરતાનું કારણ તેમનો પૂર્વભવ હતો.
પૂર્વભવમાં સુબાહુકુમાર ધનાઢ્ય સુમુખ ગાથાપતિ હતા. એકદા તેમના ઘરે નિરંતર માસખમણના પારણે માસખમણ કરતાં સુદત્ત
૩૫
અણગાર પારણાના દિવસે ગોચરી માટે પધાર્યા. તેમને જોઈને અત્યંત હર્ષિત અને પ્રસન્ન થઈને આસન પરથી ઊંચા, પાદુકાઓનો ત્યાગ કર્યો, મુખ પર વસ્ત્ર રાખ્યું, સ્વાગત માટે સાત-આઠ પગલાં સામે ગયા, વંદન નમસ્કાર કર્યાં અને સુપાત્ર આહારદાનનો લાભ લીધો. આહારદાન દેતા સમયે અને આપ્યા પછી પણ પ્રસન્નતાનો અનુભવ કર્યાં,
જો દેય, દાતા અને પ્રતિગ્રાહક પાત્ર-આ ત્રણે શુદ્ધ હોય તો તે દાન જન્મ-મરણના બંધનોને તોડનાર અને સંસારને અલ્પ કરનાર થાય છે. અહીં સુમુખ ગાયાપતિ શુદ્ધ વ્ય-નિર્દોષ વસ્તુ વહોરાવે છે, પોતે પવિત્ર દાતા અર્થાત્ ગોચરીના નિયમ યોગ્ય છે અને લેનાર પણ મહાતપસ્વી શ્રમણ છે. આમ ત્રિકરણ શુદ્ધિ અને વિશુદ્ધ ભાવનાથી સંસારને અતિઅલ્પ કરી મનુષ્યના આયુષ્યનો બંધ કરે છે. પછીના ભવમાં સુબાહુકુમા૨૫ણે ઉત્પન્ન થાય છે.
ત્યાર પછી સુબાહુકુમા૨ શ્રમણોપાસક થઈ ગયા. એક વા૨ પૌષધશાળામાં અમરત ધારણ કરીને રાત્રિના સમયે ધર્મજાગરણમાં ચિંતવણા કરતા હતા કે જો ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા અહીં પધારે તો હું દીશા લઈ ધન્ય બનું, ભગવાન પણ તેમના સંકલ્પને જાણીને ત્યાં પધારે છે. સુબાહુમાર અાગાર બની સાધ્વચારનું પૂર્ણતયા પાલન કરીને અંતે એક માસનો સંથારો કરી દેવોકમાં ઉત્પન્ન થયા. તે પંદર ભવો પછી મોક્ષે જશે, તેવું વિધાન સૂત્રમાં છે.
બાકીના નવ અધ્યયનમાં પણ નામ અને સ્થાન સિવાય બધી
વિગતો એક સમાન છે.
વિપાક-ક્ત્રની દૃષ્ટિએ કર્મપ્રકૃતિઓ બે ભાગમાં વિભક્ત છે. અશુભ અને શુભ. જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતિકર્મોની બધી અવાંતર (પેટા) પ્રકૃતિઓ અશુભ છે. ચાર અઘાતિ કર્મોની પ્રકૃતિઓના બે ભેદ છે-તેમાં કેટલીક અશુભ અને કેટલીક શુભ છે. અશુભ પ્રકૃતિઓને પાપપ્રકૃતિ કહેવાય છે, જેનું ફળ જીવને માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય અને દુઃખરૂપ હોય છે. શુભકર્મ પ્રકૃતિઓનું ફળ તેનાથી વિપરીત ઈષ્ટ, કાંત, પ્રિય અને સાંસારિક સુખ આપનાર છે. બંને પ્રકારના ફળવિપાકને સરળ, સરસ અને સુગમ રૂપે સમજવા માટે વિપાક સૂત્રની રચના થઈ છે .
જોકે પાપ અને પુણ્ય બંને પ્રકારની કર્મપ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ મોક્ષ મળે છે. પાપ લોઢાના બંધન જેવું છે તો પુછ્ય સોનાના બંધન જેવું છે. બંને બંધન રૂપે હોવા છતાં પણ બંનેના ફળમાં એધકાર અને પ્રકાશ જેટલું અંતર છે.
દુઃખવિપાકના કથાનાયક મૃગાપુત્ર આદિ અને સુખવિપાકમાં વર્ણન કરાયેલ સુબાહુમાર આદિ-બંને પ્રકારના કથાનાયકોની ચરમસ્થિતિ, અંત એક સમાન છે-મોટે જશે. પણ તે પહેલાંના તેમના સંસાર પરિભ્રમણનું જે ચિત્ર છે તે વિશેષ વિચારીય છે. સુખ સૌને પ્રિય છે, દુઃખ કોઈને ગમતું નથી. પાપાચારી મૃગાપુત્ર આદિને ઘોરતમ દુઃખમય દુર્ગતિઓથી દીર્ઘ-દીર્ઘત૨ કાળ સુધી પસાર થવું પડશે. અનેકાઅનેકવાર નરોમાં, એકેન્દ્રિયોમાં આદિ વિષમ એવું ત્રાસજનક યોનિઓમાં દુસ્સહ વેદનાઓ ભોગવવી પડશે. ત્યાર પછી ક્યાંક તે માનવભવ પામી સિદ્ધિને મેળવશે.
જ્યારે સુખવિપાકના કથાનાયક સુબાહુકુમાર આદિ સંસારના કાળનો અધિકાંશ ભાગ દેવલોકના સ્વર્ગીય સુખોના ઉપભોગમાં અથવા માનવભવમાં જ વ્યતીત કરી પંદર ભવ પછી સિદ્ધિને મેળવશે. શ્રી વિપાક સૂત્ર