________________
--
૨૩
અશુચિ ભાવના.
રાખ થશે રણમાં બળીને બધી, કંચનના સરખી શુભ કાયા.” બીજા એક વિદ્વાને પણ કહ્યું છે કે –
કિતને મુફલીસ હો ગયે, કિતને તવંગર હો ગયે, ખાખમે જબ મીલ ગયે, દાનું બરાબર હે ગયે, ૧ !
જ્યારે આ શરીરની વર્તમાન સ્થિતિ અપવિત્રતાથી ભરેલી છે અને ભવિષ્યની સ્થિતિ નાશ પામવાની છે, ત્યારે તેવા શરીર ઉપર મોહ રાખી વિષયોમાં ફસાઈ રહી અમૂલ્ય તકને ગુમાવે તે ડાહ્યો નહિ પણ મૂર્ખ જ ગણાય. ક્યો સુજ્ઞ માણસ આવી જાતની મૂર્ખતા પસંદ કરે ? કોઈ નહિ. સુજ્ઞ માણસ તો અશુચિ ભાવનાથી શરીરની આંતરિક સ્થિતિને વિચાર કરી તેનાથી શ્રેયઃ સાધવાનો જ પ્રયત્ન કરશે. (૪૯)