Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩ર
[ શ્રી વિજ્યપઘસરિકૃતનિર્મલ હદય છે જેમનું મન તેમનું ના હર્ષને, ધરત દેખી મિત્રને તિમ ચાડ્યિાને જોઈને, વેષ ન ધરે ભેગ હેતુ જોઈ રાગી ના બને, વિવિધ તપને સાધતા દીલમાં ન કંટાળે જરી. ૩૫ રત્ન નિરખી રાગ ન ધરે દ્વેષ પત્થર જોઈને, તેજ મુનિઓ સત્ય યોગી જાણવા નમું તેમને ચરણ જીવનને ટકાવે એક સમતા ભાવના, શુદ્ધ સંયમ પાલવાને રાખ મુનિ! એ ભાવના. ૩૬ મુનિરાજ ગજ સુકુમાલને એ ભાવ જ્ઞાતાસૂત્રમાં, પ્રભુએ કહ્યો છે સાધુઓ ! મન ભાવને રહી રંગમાં દીક્ષા દિવસની રાતમાં સમતા પ્રભાવે તે મુણી, કેવલી અંતગડ બની શિવ સંપદા પામ્યા ઘણ. ૩૭
અક્ષરાર્થ-નિર્મળ મનવાળા એવા જે યોગીઓનું હૃદય હંમેશાં મિત્રને દેખીને આનંદ પામતું (રાજી થતું) નથી જ, અને ચાડીયાઓને (નિંદકેને) દેખીને વાળું પણ થતું નથી જ, તથા વિષયભોગનાં સાધનામાં (સાધને જોઈને) લેભાતું નથી (એટલે તે સાધને મેળવવાને લલચાતું નથી), તેમજ તપશ્ચર્યા કરવામાં જરા પણ ખેદ પામતું નથી જ, તથા રત્ન વિગેરેમાં (મેહક પદાર્થોમાં) રાગ ધરતું નથી, તેમ જ પત્થર વિગેરેમાં (અરૂચિવાળા પદાર્થોમાં) ૮ષ પણ ધારણ કરતું નથી જ, તે જ ઉત્તમ