________________
પ્રકરણ ૩ જું પશ્ચાત્તાપ ને પરિણામ
મહારાજા સુમુખના રાજમહેલમાં ભેગવિલાસમાં વનમાળા મસ્ત બની હતી ત્યારે બીજી બાજુ વીરકુર્તીદ પિતાની પ્રિયતમાના અપહરણથી અત્યંત દુખી બની ગયે. પિતા ની પત્ની વિનાનું શૂન્યગૃહ તેને મશાન સદશ જણાવા લાગ્યું. પોતાની પત્ની સાથેની સ્વર્ગભુવન જેવી લાગતી ઝુંપડી અત્યારે તેને ખાવા ધાતી હોય તેવું અનુભવ થયો. પિતાની પ્રેમાળ પત્ની સાથેના ભેગવિલાસનાં સ્મરણે તેને ક્ષણે ક્ષણે વિહ્વળ બનાવવા લાગ્યા. પોતાની પત્નીના અપહરણથી તે અર્ધ દિવાના જે બની ગયો. તેની તૃષા અને ક્ષુધા લુપ્ત થઈ ગઈ. તેને કેઈ સ્થળે ચેન પડતું નહિ. વનમાળા વિના તેને પોતાનું જીવન ટકાવી રાખવું મુશ્કેલ થઈ પડયું, પણ તેને પુનઃ પ્રાપ્ત કરવાની તેની પાસે શક્તિ નહોતી. સુમુખ જેવા રાજવી સાથે બાથ ભીડવાની તેની હિમ્મત ચાલતી નહિ અને હિમ્મત ચાલે તે પણ તેને કઈ સહકાર કે સહાય આપનાર ન હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com