________________
૧૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સુવાસ પ્રાયે બીજું બધું ભૂલી જઈ એકતાર થઈ રહે છે તેમ, વનમાળાથી એક ક્ષણ પણ વિખૂટો પડતો નહિ.અન્ય પટ્ટરાણીએ વનમાળાના અંતઃપુર –પ્રવેશને અંગે ઈર્ષ્યાગ્નિથી બળી જતી હતી પરંતુ જ્યાં રાજા પોતે જ તેને પૂર્ણપણે આધીન બની ગયો ત્યાં શું થાય? છતાં પણ તેઓ તેના છિદ્રો શોધવાની તક જતી ન કરતી. વનમાળાએ પોતાના માધુર્યયુક્ત વચનોથી, પ્રેમપૂર્ણ વાર્તાલાપોથી અને અનન્ય સેવાભાવથી રાજાનો પૂર્ણ ચાહ મેળવી લીધે. રાજા પાણી પીતે તે વનમાળાના હાથથી જ. ક્ષુધાતૃપ્તિ કરતો તો પણ વનમાળાના હસ્તથી જ. આ પ્રમાણે પૂર્ણ વિલાસસુખ માણતાં આ બંને પ્રેમી પંખીડાને કયાંથી ખબર હોય કે તે બંનેના સંયોગથી એક ગરીબ વણકરના સંસારરૂપી વનમાં દાવાનળ લાગી ચૂકર્યો હતે.
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com