________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
“કારણ પુણાત્મભિ :” અનંત કરૂણામય પ્રભુ છે. આ કરૂણા એક જ ભવની નથી.. ભવાંતરની પણ છે. તમને ખબર છે તીર્થકર નામ કર્મ કેવી રીતે બંધાય છે?
સભા - વીશ સથાનકની આરાધના કરવાથી...
એતો ખરૂં...પણ તીર્થકર નામ કર્મનિકાચિત કરવાનું કામ તો કરૂણા ભાવના કરે છે. છેલ્લેથી ત્રીજા ભવમાં એક વિશેષ ભાવના હોય છે. જે હોવે મુજ શનિ ઈસી
સાવિ જીવ કરું શાસન રસી.” મારામાં એવી શક્તિ પ્રગટે તો જગતના તમામ જીવોના દુઃખ દૂર કરું સર્વને સિદ્ધબુદ્ધ અને મુક્ત બનાવવાની ભાવના હોય છે અને એવી શક્તિ મેળવવા પ્રચંડ પુરૂષાર્થ કર્યા. લાખો ઉપવાસ કર્યા અને પછી તીર્થકર બન્યા. ધર્મતીર્થની સ્થાપના કરી અને સંસારમાં ભ્રાન્ત થયેલ જીવોને સન્માર્ગ બતાવતા રહ્યા. મોહના નશાથી વિપરિત દર્શન કરતાં જીવોને સત્યવસ્તુસ્થિતિનું ભાન કરાવતા રહ્યા. કેમકે મોહનો નશો બહુ જ ભારે હોય છે.
આવા મોહમાં ફસાયેલ જીવોને ઉગારનાર જિનવાણી છે. વીતરાગની દેશના દ્વારા કેટલાય જીવો અગાધ ખાડામાંથી ઉગરી ગયા છે. પરમાત્માએ કરૂણાસભર વાણીથી આપણને એજ સમજાવ્યું છે કે સંસાર જંગલ છે. આશ્રવોની વર્ષા થઈ રહી છે કર્મલતા ફેલાઈ ચૂકી છે. પ્રગાઢ અંધકાર છે માટે સંસારમાંથી બહાર નીકળો, મુક્તિપથ ઉપર આગળ વધો. વાણી સંતાપ ર કરે, થાક હરે,
શબ્દની તાકાત ઘણી છે. પ્રચંડ સામર્થ્ય શબ્દોમાં પડેલ છે.
“આંધળાના દીકરા આંધળા જ હોય” આ એક જ વાક્યથી દુર્યોધનના શરીરમાં કાળઝાળ આગ લાગી અને.
ઉપશમ-વિવેક-સંવર” આ ત્રણ જ શબ્દોથી ચિલાતીના દિલમાં લાગેલ..વેર અને વાસનાની આગ શાંત પડી ગઈ.
કવિતા ઈત્યપિ પિ” આ એક વાક્ય વડે ભગવાન મહાવીરના જીવ મરીચિએ કોડાકોડી સાગરોપમ સંસાર વધારી દીધો.
“બુઝ બુઝ ચંડકોરીયા” આ એકજ વાક્યના પ્રભાવે વેરીલોઝેરીલો, ડંખીલો-ક્રોધીલો ચંડકૌશિક નાગ શાન્ત-પ્રશાંત અને ઉપશાંત બની