________________
૧૩૬
ક
-
અશુચિભાવના છે અશુચિ ભાવના ફી सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेश सङगाशुचिः शुच्याऽमृद्य मृदाबहिः स बहुशो घौतोऽपि गङगोदकैः । नाधत्ते शुचित्तां यथा तनुभृतां कायो निकायो महा बिभत्साऽस्थि पुरीष मूत्र रजसां नाऽयं तथा शुद्धयति ॥१॥
છિદ્રવાળી મદિરાનો ઘડો, જેમાંથી શરાબ ટપકતો હોય આવા અપવિત્ર ઘડાને માટીથી સારી રીતે સાફ કરવામાં આવે, ગંગાજળ વડે ઘણીવાર ધોવામાં આવે છતાં પવિત્રતાને ધારણ કરતો નથી તે પ્રમાણે બિભત્સ હાડકા, મળમૂત્ર શ્લેષ્મ અને લોહીથી ખરડાયેલ જીવોનું શરીર ઘણા બધા પ્રયત્નો કરવા છતાં શુદ્ધ થતું નથી. ૧
આપણે અત્યાર લગી પાંચ ભાવનાનું ચિંતન-વર્ણન સાંભળ્યું હવે ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજા છઠ્ઠી ભાવનામાં અશુચિનું વર્ણન કરે છે. આ ભાવના પ્રાયઃ કરીને શરીર ઉપર જ કેન્દ્રિત બનેલ છે.
આત્મા અને શરીર ભિન્ન છે એ વાત અન્યત્વ ભાવનામાં જણાવ્યા બાદ શરીર ઉપર રાગ કેમ ન કરવો? એ વાત અશુચિ ભાવનાના માધ્યમથી જણાવશે અને એટલે જ અન્યત્વપછી અશુચિભાવનાનો ક્રમ લીધો છે. જીવને સૌથી વધુ આસક્તિ પ્રેમ હોય તો એના શરીર ઉપર છે. એ શરીરને સાચવવા ઘણા પ્રયત્નો કરશે. ઉપવાસ, આયંબિલાદિ તપ પણ શરીરના કારણે નહિ કરે. અનાદિ કાળથી જીવને શરીર જોડાયેલ છે એ પણ એક બે નહિ પણ પાંચ-પાંચ શરીરમાં આત્મા ઘેરાયેલ છે. તે પાંચ શરીર આ પ્રમાણે જાણવા.
૧ તેજસ ૨. કામણ ૩. વેકિય ૪. આધારક ૫ દારિક
તેજસ અને કાર્મણ શરીર આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે પણ સાથે ને સાથે જ હોય છે દેવના ભવમાં વૈક્રિય શરીર હોય અને