________________
સંવર ભાવના
૧૯૦ સહે. ઔષધની પણ ઈચ્છા ન કરે.
(૧૦) વસરપર્શ - શય્યા પર તણખલા હોય કે તૃણ પર શય્યા કરી હોય તો તણખલાની અણીઓ વાગે તે સહે, મનમાં કલેશ ન કરે.
(૧૮) મળ - શરીરના મળ ઉપર જુગુપ્સા કરે નહિ. શરીર ઉપર મેલ થાય તો સ્નાન ઈચ્છે નહિ. મેલને સહન કરે.
(૧૯) સકાર:- કોઈ મોટા મોટા સામૈયા કરે, કે કોઈ પ્રધાન કે કોઈ મોટી હસ્તી પોતાની પાસે આવે તો મનમાં ફૂલાય નહીં પોતાનો કોઈ જગ્યાએ સત્કાર ન થાય તો તેથી વિષાદ પામે નહિ.
(૨૦) પ્રજ્ઞા - અસાધારણ બુદ્ધિબળ હોય તો તેનો મદ ન કરવો મૂર્ખ, અલ્પજ્ઞ હોય તો તેનો ખેદ ન કરે. જ્ઞાનને પચાવે. જ્ઞાનીપણાને લીધે અહંકાર ન કરે.
(૨૧) અજ્ઞાન - જ્ઞાનના અભાવે આત્મવંચન ન કરે, પ્રજ્ઞાપરિષદ અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે ત્યારે થાય છે. એટલે પ્રજ્ઞાપરિષહ અચકૃત છે. અને અજ્ઞાનપરિષહ પોતાના અલ્પજ્ઞાનથી થાય છે. એટલે સ્વયંકૃત છે. અજ્ઞાનપણાથી ન આવડે તો ભણતાં કંટાળવું નહીં. -
(૨૨) અદર્શન - સૂક્ષમ વિચાર વાંચી જાણી તેની અસહ્નણા ન કરે, અન્ય ધર્મની પ્રસિદ્ધિ જોઈ મૂઢ દૃષ્ટિ ન થાય અને વિશિષ્ટ કર્મોને નજરે જોતા જ્ઞાનને અભાવે ત્યાગને નિરર્થક ન ગણે, શ્રદ્ધા દઢ રાખવી. દર્શન મોહનીયના ઉદયથી રરમાં સમ્યકત્વ પરિષહ થાય છે.
આ બાવીસ પરિષહ મળે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વપરિષહ સહન કરવાથી મહાસંવર થાય છે. એટલે તે વખત દરમ્યાન જીવ નવાં કર્મો ગ્રહણ કરતો નથી.
આ ૨૨ પરિષદોમાં સ્ત્રી અને સત્કાર આ બે પરિષહો અનુકૂળ પરિષહ છે તેમ જ શીતળ છે.
એક જીવને એકી સાથે વધુમાં વધુ ૧૯ પરિષહો હોઈ શકે છે. શીત અને ઉષ્ણમાંથી એક હોય, ચર્યા નિષદ્યા અને શય્યામાંથી એક જ હોય.
નવમા ગુણસ્થાનક સુધી બધા જ પરિષહો હોઈ શકે છે. ૧૦-૧૧ અને ૧૨મા ગુણસ્થાને ૧૪ પરિષહો હોઈ શકે છે. ૧૩ મા ગુણસ્થાને ૧૧ પરિષહો હોઈ શકે છે. વેદનીય કર્મના ઉદયથી થતા પરિષદો અહિ હોય.