________________
૧૮૮
સંવર ભાવના
૮. સંવર - કર્મોને રોકવા તે સંવર... ૯. નિર્જરા - આત્માથી કર્મોનું ખરી પડવું તે નિર્જરા
૧૦. ધર્મ-સર્વજ્ઞ પરમાત્માએ કેવો નિર્દોષ ધર્મ બતાવ્યો છે? તેવું ચિંતવવું
૧૧. લોકસ્વરૂપ ચૌદરાજલોકનું ચિંતન ૧૨. બોધિ દુર્લભ - રત્નત્રયીની પ્રાપ્તિ ખુબ દુર્લભ છે.
આ બાર ભાવનાઓનું ઉપર પ્રમાણે નિરંતર ચિંતન કરવાથી આત્મા નિર્મળ બને છે. અને સંવર પથ પર પ્રયાણ કરવા માટે તત્પર બને છે.
હવે ૨૨ પરિષહોનું વિવેચન કરવામાં આવે છે. આ ર૨ પરિષહો મુખ્યત્વે સાધુ-સાધ્વી માટે સંવરના શ્રેષ્ઠ ઉપાય છે.
પરિષહ -એના મુખ્ય ભેદ ૨૨ છે.
(૧) મુલા પરિષહ - ગમે તેવી ભૂખ લાગે, સામે ફળોથી લચી પડતું વૃક્ષ હોય તો પણ તે ફલ ગ્રહણ ન કરે, પોતે રસોઈ બનાવવાની ચેષ્ટાન કરે, વિહાર કરતાં ગમે તેવી ભુખ લાગી હોય તો પણ કંટાળે નહિ. સાધુ કદી દીન બને નહિ પ્રસન્નતા પૂર્વક ભૂખ સહન કરે.
(પિપાસા - તરસને સહન કરે, તરસ લાગે તો પણ સજીવ પાણી ન વાપરે, રસ્તામાં ચાલતાં ચાલતાં ગમે તેવી તરસ લાગી હોય. મોટું સુકાઈ જતું હોય તો પણ સચિત્ત પાણી ન વાપરે, ગમે તેવી ગરમી હોય તો પણ તપ કરવામાં પાછી પાનીનકરે, એક ઘડો અળગણ પાણી વાપરીએ તો સાત ગામ બાળવા જેટલું પાપ લાગે છે.
(૭) શીત પરિષહ - શિયાળામાં ગમે તેટલી ઠંડી લાગે તો પણ શાસ્ત્રમર્યાદાથી વધારે વસ્ત્ર ન રાખે. ઠંડીના પ્રહાર સહન કરે. અગ્નિ વડે તાપે નહિ.
૪) ઉષ્ણ પરિષહ - ગરમી ઉનાળામાં ગમે તેવી લાગે તો પવન નાખે નહિ, વિંજણો ચલાવે નહિ. વિજળીના પંખાનો ઉપયોગ કરે નહિ. ગરમી સહન કરે, સ્નાન વિલેપન કે છત્રીનો આશ્રય ન લે.
(૫) દંશ પરિષહ - ડાંસ, મચ્છર, જૂ, માંકડના પરિષહ થાય તો સમભાવે સહન કરે, મનમાં જરા પણ ખેદ ન કરે, તેમજ તે જીવો પર દ્વેષ ન