Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 201
________________ ૧૮૮ સંવર ભાવના ૮. સંવર - કર્મોને રોકવા તે સંવર... ૯. નિર્જરા - આત્માથી કર્મોનું ખરી પડવું તે નિર્જરા ૧૦. ધર્મ-સર્વજ્ઞ પરમાત્માએ કેવો નિર્દોષ ધર્મ બતાવ્યો છે? તેવું ચિંતવવું ૧૧. લોકસ્વરૂપ ચૌદરાજલોકનું ચિંતન ૧૨. બોધિ દુર્લભ - રત્નત્રયીની પ્રાપ્તિ ખુબ દુર્લભ છે. આ બાર ભાવનાઓનું ઉપર પ્રમાણે નિરંતર ચિંતન કરવાથી આત્મા નિર્મળ બને છે. અને સંવર પથ પર પ્રયાણ કરવા માટે તત્પર બને છે. હવે ૨૨ પરિષહોનું વિવેચન કરવામાં આવે છે. આ ર૨ પરિષહો મુખ્યત્વે સાધુ-સાધ્વી માટે સંવરના શ્રેષ્ઠ ઉપાય છે. પરિષહ -એના મુખ્ય ભેદ ૨૨ છે. (૧) મુલા પરિષહ - ગમે તેવી ભૂખ લાગે, સામે ફળોથી લચી પડતું વૃક્ષ હોય તો પણ તે ફલ ગ્રહણ ન કરે, પોતે રસોઈ બનાવવાની ચેષ્ટાન કરે, વિહાર કરતાં ગમે તેવી ભુખ લાગી હોય તો પણ કંટાળે નહિ. સાધુ કદી દીન બને નહિ પ્રસન્નતા પૂર્વક ભૂખ સહન કરે. (પિપાસા - તરસને સહન કરે, તરસ લાગે તો પણ સજીવ પાણી ન વાપરે, રસ્તામાં ચાલતાં ચાલતાં ગમે તેવી તરસ લાગી હોય. મોટું સુકાઈ જતું હોય તો પણ સચિત્ત પાણી ન વાપરે, ગમે તેવી ગરમી હોય તો પણ તપ કરવામાં પાછી પાનીનકરે, એક ઘડો અળગણ પાણી વાપરીએ તો સાત ગામ બાળવા જેટલું પાપ લાગે છે. (૭) શીત પરિષહ - શિયાળામાં ગમે તેટલી ઠંડી લાગે તો પણ શાસ્ત્રમર્યાદાથી વધારે વસ્ત્ર ન રાખે. ઠંડીના પ્રહાર સહન કરે. અગ્નિ વડે તાપે નહિ. ૪) ઉષ્ણ પરિષહ - ગરમી ઉનાળામાં ગમે તેવી લાગે તો પવન નાખે નહિ, વિંજણો ચલાવે નહિ. વિજળીના પંખાનો ઉપયોગ કરે નહિ. ગરમી સહન કરે, સ્નાન વિલેપન કે છત્રીનો આશ્રય ન લે. (૫) દંશ પરિષહ - ડાંસ, મચ્છર, જૂ, માંકડના પરિષહ થાય તો સમભાવે સહન કરે, મનમાં જરા પણ ખેદ ન કરે, તેમજ તે જીવો પર દ્વેષ ન

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218