Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 202
________________ ૧૮૯ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ 9) અચેલક પરિષહ-જીર્ણપ્રાય વસ્ત્રો શાસ્ત્રના ફરમાન મુજબ મૂછભાવ રહિત રાખે, તેના ઉપર આસકિત ન રાખે, વધારે વસ્ત્રો મેળવવાની કે સંગ્રહવાની ઈચ્છા ન કરે. ઈ અરતિ પરિષદ - કંટાળો-સંયમ પાલન કરતાં અનેક પ્રસંગો કે બનાવો બને તો પણ કંટાળો ઉપજાવે નહિ. એવા પ્રસંગે ધૈર્ય ધરે, સંયમમાં અપ્રીતિ ન કરે. (૯સી સંસર્ગ :- સ્ત્રીના અંગ ઉપાંગો પ્રેમથી જુએ નહિ. તેની પ્રાર્થના તરફ ધ્યાન આપે નહિ. કામબુદ્ધિ કરે નહિ. સાધ્વીએ આ હકીકત પુરુષ માટે સમજવી. બે ચય -અપ્રતિબદ્ધ વિહાર કરવો. એક સ્થાને વધારે વખત રહે નહિ. રાગાદિ કારણ ઉત્પન થયે છતે તુરત અન્યત્ર ચાલ્યા જાય. વિહારથી થાકે નહિ. (૧૦) વિકી -સ્થિર આસન કરી ધ્યાન, કાયોત્સર્ગાદિ કરતાં હોય ત્યારે ગમે તેવા ઉપદ્રવ થાય તો પણ આસનનો ત્યાગ કરે નહિ. (૧૧) શય્યા - ગમે તેવી શય્યા હોય પણ તેને લીધે રાગદ્વેષ ન કરે. (૧૩) આક્રોશ - કોઈ અપમાન કરે, ઉશ્કેરે, કડવા વચન કહે એવા સર્વે પ્રસંગે મનમાં ક્રોધ આણે નહિ. સમતાથી અન્યકૃત તિરસ્કાર સહન કરે.. (૧૩) વધઃ- કોઈ લાકડી વિ. મારે, ચાબખા મારે, અરે! સ્વવધ થાય તો પણ ધર્મ ત્યાગ ન કરે. (૧૪) યાચના - (ભિક્ષા) સંયમનિર્વાહ માટે વસ્ત્ર કે વસતિ માંગતાં મનમાં ખેદ પામે નહિ. પોતે કેમ ભીખ માગે? એવો ખ્યાલ પણ ન કરે. એટલે કે યોગ્ય યાચના કરતાં શરમાય નહિ. (૧૫) અલાભ - કોઈ જરૂરી વસ્તુ ન મળે, હોય છતાં કોઈ આપે નહિ, યાચના કરતાં છતાં ન મળે, તો પણ મનની સમસ્થિતિ ખોવે નહિ અલાભને તે સાચો તપ ગણે. ૧) રોગ - કોઈ પણ જાતનો રોગ થાય તો જરા પણ વ્યાકુળ ન થાય, કર્મનો દોષ વિચારી તેની પીડા શાંતિથી સહે, રોગની પીડા સમતાથી

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218