Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 206
________________ શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ ૧૯૩ (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર : ગચ્છના પરિહાર પૂર્વક આત્માની વિશિષ્ઠ શુદ્ધિ માટે વિશિષ્ટ પ્રકારનો જે તપ કરાય તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય આ ચારિત્ર પ્રથમ સંઘયણ વાળા મુનિઓ ગ્રહણ કરી શકે, તીર્થંકરના હાથે દીક્ષિત થયેલા હોય તે અથવા તીર્થંકરના હસ્તે દિક્ષિત થયેલાની પાસે દીક્ષિત થયેલ આ ચારિત્ર લઈ શકે છે. આ ચારિત્રમાં ૧૮ મહિનાનો વિશિષ્ટ તપ હોય તેમાં ૯(નવ) સાધુઓ જોડાઈ શકે. * ચાર સાધુ તપ કરે. ચાર સાધુ તપસ્વીની વૈયાવચ્ચ કરે... અને ♦ એક વાચનાદાતા હોય. પ્રથમ છ મહિના તપ કરવો... જે ચાર સાધુ તપસ્વી. હોય તે ઉનાળામાંઃ- જઘન્યથી ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ કરે. શિયાળામાં :- જઘન્યથી છઠ્ઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ કરે. ચોમાસામાં ઃ- જઘન્યથી અઠ્ઠમ, મધ્યમથી ચાર ઉપવાસ ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ જે વખતે જે ઋતુ ચાલતી હોય તે મુજબ તપ કરે પારણે આયંબિલ કરે. વિશિષ્ટ અભિગ્રહ કરે. શક્તિ મુજબ જઘન્યાદિ તપ કરે.. આ પ્રમાણે... છ મહિના તપ કરે... ત્યારબાદ જે ચાર સાધુઓ વૈયાવચ્ચ કરનાર હતાં તે તપ કરે... અને પૂર્વના ચાર સેવા કરે... પછી વાચના ચાર્ય છ મહિના તપ કરે.... જે તપ ન કરે. તે દરરોજ આયંબિલ કરે.. ક્યારે’ક ઉપવાસ પણ કરે.. આ તપસ્વી સાધુઓ ક્યારે'ય અપવાદને સેવે નહીં આંખમાં પડેલ ઘાસના તણખલાને પણ કાઢે નહીં. ત્રીજા પહોરે ભિક્ષા જાય.. બાકીના સમયમાં કાઉસ્સગ્ગમાં રહે. કોઈને નવી દીક્ષા આપે નહીં. ઉપદેશ ક્યારેક જ આપે. નવું ભણે નહીં, જુનાનું પુનરાવર્તન કરે.. જે પૂર્વધર મહાત્મા હોય તે આ સંયમ સ્વીકારી શકે.. જંબુસ્વામિ પછી આ ચારિત્ર વિચ્છેદ ગયું છે. એટલે હાલમાં આવા પ્રકારનું ચારિત્ર સ્વીકારી શકાતું નથી.

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218