________________
૧૮૯
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
9) અચેલક પરિષહ-જીર્ણપ્રાય વસ્ત્રો શાસ્ત્રના ફરમાન મુજબ મૂછભાવ રહિત રાખે, તેના ઉપર આસકિત ન રાખે, વધારે વસ્ત્રો મેળવવાની કે સંગ્રહવાની ઈચ્છા ન કરે.
ઈ અરતિ પરિષદ - કંટાળો-સંયમ પાલન કરતાં અનેક પ્રસંગો કે બનાવો બને તો પણ કંટાળો ઉપજાવે નહિ. એવા પ્રસંગે ધૈર્ય ધરે, સંયમમાં અપ્રીતિ ન કરે.
(૯સી સંસર્ગ :- સ્ત્રીના અંગ ઉપાંગો પ્રેમથી જુએ નહિ. તેની પ્રાર્થના તરફ ધ્યાન આપે નહિ. કામબુદ્ધિ કરે નહિ. સાધ્વીએ આ હકીકત પુરુષ માટે સમજવી.
બે ચય -અપ્રતિબદ્ધ વિહાર કરવો. એક સ્થાને વધારે વખત રહે નહિ. રાગાદિ કારણ ઉત્પન થયે છતે તુરત અન્યત્ર ચાલ્યા જાય. વિહારથી થાકે નહિ.
(૧૦) વિકી -સ્થિર આસન કરી ધ્યાન, કાયોત્સર્ગાદિ કરતાં હોય ત્યારે ગમે તેવા ઉપદ્રવ થાય તો પણ આસનનો ત્યાગ કરે નહિ.
(૧૧) શય્યા - ગમે તેવી શય્યા હોય પણ તેને લીધે રાગદ્વેષ ન કરે.
(૧૩) આક્રોશ - કોઈ અપમાન કરે, ઉશ્કેરે, કડવા વચન કહે એવા સર્વે પ્રસંગે મનમાં ક્રોધ આણે નહિ. સમતાથી અન્યકૃત તિરસ્કાર સહન
કરે..
(૧૩) વધઃ- કોઈ લાકડી વિ. મારે, ચાબખા મારે, અરે! સ્વવધ થાય તો પણ ધર્મ ત્યાગ ન કરે.
(૧૪) યાચના - (ભિક્ષા) સંયમનિર્વાહ માટે વસ્ત્ર કે વસતિ માંગતાં મનમાં ખેદ પામે નહિ. પોતે કેમ ભીખ માગે? એવો ખ્યાલ પણ ન કરે. એટલે કે યોગ્ય યાચના કરતાં શરમાય નહિ.
(૧૫) અલાભ - કોઈ જરૂરી વસ્તુ ન મળે, હોય છતાં કોઈ આપે નહિ, યાચના કરતાં છતાં ન મળે, તો પણ મનની સમસ્થિતિ ખોવે નહિ અલાભને તે સાચો તપ ગણે.
૧) રોગ - કોઈ પણ જાતનો રોગ થાય તો જરા પણ વ્યાકુળ ન થાય, કર્મનો દોષ વિચારી તેની પીડા શાંતિથી સહે, રોગની પીડા સમતાથી