Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 199
________________ ૧૮૬ સંવર ભાવના માયાવી બનવું નહિ. માયાને શાસ્ત્રકાર નાગણી કહે છે. આ કષાય બહુ મીઠો છે. આ કરવાથી જીવ મહાતીવ્ર પાપનો સંચય કરે છે. “માયાવિનો ઇંતી પર પેસા" માયાવી માણસો પારકાના નોકર થાય છે, જેવી રીતે સાપે સમગ્ર વિશ્વનો, આખી માનવ જાતનો વિશ્વાસ ખોઈ નાખ્યો છે, એનો કોઈ ભરોસો કરતું નથી. એજ રીતે માયાવી, કપટી વ્યક્તિ પણ સમાજ માટે અવિશ્વસનીય બની જાય છે, માયા સ્વયં એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે. એટલા માટે આર્જવાથી સરળતાથી માયાને નષ્ટ કરો. મલ્લિનાથે માયા કરી તપ કર્યો તો સ્ત્રી પણું પામ્યા. * શૌચ - શૌચનો અર્થ છે પવિત્ર બનવું, લોભ તમને અપવિત્ર બનાવી દે છે, તૃષ્ણા તમને ગંદા બનાવે છે. એટલા માટે લોભ અને તૃષ્ણાનો ત્યાગ કરો, લોભને શાસ્ત્રકાર આકાશ સાથે સરખાવે છે. આકાશનો છેડો આવતો નથી તેમ લોભનો છેડો આવતો નથી. આંતર વિશુદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ શૌચ ધર્મ છે. દોષ રહિત આહાર લેવો તે દ્રવ્ય શૌચ, અને શુભ અધ્યવસાયની અભિવૃદ્ધિ તે ભાવ શૌચ. * સત્ય:- હિતકારી બોલો, પોતાને માટે તેમજ પારકાને માટે જે હિતકર હોય તેવું જ બોલો, કેટલીક વાતો એવી હોય કે જે તમારા માટે હિતકારી હોય પરંતુ અન્યને માટે અહિતકર હોય. એવી વાતો ન કરો, વિસંવાદી વાતો ન કરો, અસત્ય ન બોલો, સત્યનિષ્ઠાને મહાન ધર્મ માનો આમ સત્યવચન બોલવું અને પરિમિત બોલવું. * સંયમ - ૧૭ ભેદે સંયમનું પાલન કરવું. તે આ પ્રમાણે ૫ અવ્રતનો ત્યાગ ૫ ઈદ્રિયોનો નિગ્રહ ૪ કષાયો પર વિજય ૩ દંડનો ત્યાગ (મન-વચન-કાય) અથવા બીજી રીતે ૧૭ ભેદો નીચે મુજબ છે. (૧ થી ૮) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, પંચેન્દ્રિયને મન-વચન-કાયાથી દુઃખ ન આપવું. (૯) પ્રેક્ષ્ય સંયમ - આંખોથી નિરીક્ષણ કરવું! (૧૦) ઉપેક્ષ્ય સંયમ-શ્રાવકોને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં જોડવા. ન

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218