Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૨ સંવર ભાવના કરવા માટે ક્ષમા-નમ્રતા સરળતા અને નિર્લોભતાનો સહારો લેવો જ પડશે. અને આ રીતે આશ્રયોને જીતવા દ્વારા જીવ સંવર ભાવમાં આવે છે. गुप्तिभिस्तिसृभि रेवमजय्यान् त्रीन् विजित्य तरसाधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा, लप्स्यसे हितमनीहितमिद्धम् ॥ ४ ॥ મન ગુતિ, વચન ગુતિ અને કાયમુસિ વડે... મન-વચન-કાયાના દુર્જય અશુભ યોગોને જરદીમાં જદી જીતીને... સુંદર સંવર પચ પર વિચરણ કર જેવી તને ઈચ્છિત મુક્તિ અવશ્ય મળશે. અશુભ યોગોને જીતો મન વચન કાયાના યોગોનો નિગ્રહ ત્રણ ગુપ્તિ વડે કરવો જોઈએ. આ યોગો અત્યંત દુર્જય છે. માટે તેનું નિયમન કરવું જોઈએ. ખોટા સંકલ્પો.. ખોટા વિચારો, ખોટી માન્યતાઓ, આ સર્વનો ત્યાગ કરીને સારા સંકલ્પનું સેવન કરવું. તેવી જ રીતે બોલવા પર કાબુ રાખવો અગર મૌન ધારણ કરવું તેવચન ગુતિ છે. તેમજ કોઈ પણ વસ્તુ લેવા મુકવામાં કે બેસવા ઉઠવામાં વિવેક રાખવો અને શારીરીક વ્યાપારનું નિયમન કરવું તે કાયમુર્તિ છે. આ પ્રમાણે ગુપ્તિ વડે અશુભ યોગોને જીતીને સુંદર સંવર પથ પર વિચરણ થાય. જેથી જલ્દીમાં જલ્દી મુક્તિની પણ પ્રાપ્તિ થાય છે. એના માટે સંકલ્પ કરવો જોઈએ. વારંવાર શુભયોગોનું ચિંતન કરવું અને અશુભયોગોથી પાછા હઠવું. एवं रुद्धेष्वमलहृदयै राश्रवेष्वाप्तवाक्य श्रद्धाचञ्चत्सितपटपटु : सुप्रतिष्ठानशाली । शुद्धयोर्गेजवनपवनै : प्रेरितो जीवपोतः स्त्रोतस्ती भवजलनिधेर्याति निर्वाण पुर्याम् ॥५॥ આ પ્રમાણે સ્વચ્છ હૃદય દ્વારા આwવોના દ્વાર બંધ કરીને સ્થિર થયેલું જીવાત્મા રૂપી જહાજ પ્રાજ્ઞ પુરુષોના વાક્યોમાં શ્રદ્ધા રૂપ જગહનતા સઢથી સુસજજ બનીને શુદ્ધ યોગ રૂપી જવાથી તરતું તરતુ નિર્વાણપુરી સુધી પહોંચી જાય છે.

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218