Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 194
________________ શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ શ્રેષ્ઠ ગુણસમૃદ્ધિ પ્રકટ થશે. માયા સ્વયં એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે. માયાની આગમાં તમામ આંતરર્ગુણ સમૃદ્ધિ બળીને ખાખ થઈ જાય છે. સર્વનાશ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે અશુદ્ધ-માયાવી જીવ ધર્મની આરાધના કરી શકતો નથી. ૧૮૧ એટલા માટે સરળતાથી માયાને નષ્ટ કરો માયા ઉપર સંયમ રાખો. સદ્ગુરૂની આગળ સરળ બનો, નમ્ર બનો, એમનાથી તમે તમારી માનસિકતા છુપાવવાનો પ્રયત્ન ન કરો. તમે તમારા સદ્ગુરૂ પ્રત્યે એટલા તો શ્રદ્ધાવાન રહો કે તમે તેમની સમક્ષ કંઈ પણ આત્મનિવેદન કરશો તો તે વાતો તેમના સાગર જેવા પેટમાં સમાઈ જશે અને હંમેશા સદ્ગુરૂઓ, સત્ પુરુષો, માયા રહિત જીવો પ્રત્યે સ્નેહ પૂર્ણ દૃષ્ટિથી જ જુએ છે. સરળ જીવાત્મા જ સાચી અને યોગ્ય શરણગતિ સ્વીકારી શકે છે. શરણા ગતિ વગર સમર્પણનો ઉચ્ચતમ ભાવ પ્રકટ થઈ શકતો નથી. સમર્પણ વગર ધર્મ પુરુષાર્થ થઈ શકતો નથી. એટલા માટે સરળ બનો અને સરળતાથી માયાને કાબૂમાં રાખો. ગ્રંથકારે લોભને સમુદ્રની ઉપમા આપી છે. આ મહાસાગરને પાર કરવો ઘણો જ કઠીન છે. તો આવા મહાસાગરને પાર કરવા માટે સંતોષના સેતુ-બંધ (પુલ) ઉપર ચાલવું પડશે. લોભ સમગ્ર પાપોનું મૂળ છે. લોભે લક્ષણ જાય. તમામ વિનાશોનું આશ્રય સ્થાન લોભ છે. તમામ કષાયોનું નિવાસસ્થાન લોભ છે. જેટલા વિનાશકારી તત્ત્વો છે, જેટલા નુકશાન કરનારાં તત્ત્વો છે તે તમામે તમામ લોભના આશ્રય સ્થાનમાં આરામ કરે છે. જે લોભ દશાને પનારે પડ્યો એ ન તો સુખ પામી શકે છે, ન તો કોઈ શાન્તિ પ્રસન્નતાનો અનુભવ કરી શકે છે. અજ્ઞાની જીવ સુખ પામવા માટે લોભનો સહારો લે છે. લોભ તમામ પાપોની જડ છે. લોભી કયું પાપ નથી કરતો ? એ તો કોઈ પણ પાપાચરણ માટે તૈયાર હોય છે. આ લોભ સાગરને જીતવા માટે સંતોષ રૂપી પુલ બનાવી દો. સંતોષી બની જાઓ જેથી લોભથી બચી શકાય, સંતોષએ લોભ આશ્રવને જીતવા માટે સંવર દ્વાર છે. આ રીતે ક્રોધ-માન-માયા અને લોભ આ સર્વે કષાયો ના આશ્રવ દ્વારા આત્મામાં કર્મોનું આગમન થઈ રહ્યું છે. અને કષાયોનાં આ આશ્રવ દ્વાર બંધ

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218