Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 192
________________ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ૧૭૯ મિથ્યાત્વ એટલે - દેવ/ગુરુ/ધર્મ પ્રત્યે અશ્રદ્ધા કુદેવ, કુગુરુ, કુધર્મમાં તત્વ બુદ્ધિ આવી વિપરીત માન્યતા એટલે મિથ્યાત્વ. આ મિથ્યાત્વનો ક્ષયોપશમ થાય ત્યારે આત્મામાં સમ્યક્ત ગુણ પ્રગટ થાય છે. મિથ્યાત્વનો ક્ષયોપશમ અનેક રીતે થાય છે તેમાં ખાસ કરીને સદ્ગુરુના પરિચયથી મિથ્યાત્વનો ક્ષયોપશમ અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ સમ્યકત્વનો અમૂલ્ય પ્રભાવ છે. ફક્ત એકાદ સેકંડ માટે પણ સમ્યગદર્શન મળી જાય તો એનો પ્રભાવ બતાવ્યા વિના રહે નહીં. એનો પ્રભાવ શું છે..? તમને ખબર છે? અનંતા સંસારને એક ઝાટકે કાપી નાખે !!! સમ્યગુદર્શન મળ્યા પછી સંસારનું પરિભ્રમણ અલ્પ થઈ જાય છે. અનંત પુગલ પરાવર્તનો સંસાર અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલો સીમીત થઈ જાય છે. !!!! આવા સમ્ય દર્શન રૂપી રત્નને સાચવવા માટે આપણે પ્રયત્ન કરવો રહ્યો. કેમ કે સમ્યગુ દર્શન મળ્યા પછી પાછુ ચાલી પણ જાય છે. આત્મા સમ્ય દર્શન સેંકડો વાર પામે અને સેંકડો વાર ગુમાવે.. માટે સમ્યગદર્શનને સુરક્ષિત રાખવું. અને એને સુરક્ષિત રાખવા માટે જિનવાણી શ્રવણ બહું જ આવશ્યક છે. આવા સમ્ય દર્શન વડે મિથ્યાત્વનો રોધ કરવો... મનની સ્થિરતા કરવાથી આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને આપણે જીતી શકીએ છીએ. આર્તધ્યાનના ચાર લક્ષણો છે. (૧) કંદણયા:- એટલે કે કંઈક દુઃખ આવી પડે તો જોરજોરથી મોટા અવાજે રડવું. (૨) સોઅણયા:- કોઈની પાસે દીનતા બતાવવી. (૩) હિપ્પણયા:- આંખમાંથી આંસુ પાડવા. (૪) વિલવણયા:- વારે વારે જેમ તેમ કઠોર શબ્દો બોલવા. તેવી જ રીતે. રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો. ૩HUVાવો:- નિરંતર હિંસા કરવી- અસત્ય બોલવું ચોરી આદિ કિરવી તે વિદુહો - હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી. મUVIUવો? :- અજ્ઞાનથી કુશાસ્ત્રના સંસ્કારથી હિંસાદિ પાપોમાં

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218