Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 190
________________ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ૧૭૭ કરવું અવસર પ્રમાણે બોલવું. નહિ તો મૌન રહેવું આને વચન ગુમિ કહેવાય (૩) કાય ગુપ્તિ - એટલે શરીર સંબંધી હાલવા ચાલવામાં ઉઠવા બેસવામાં કર્તવ્ય અકર્તવ્યનો વિવેકહોય એ પ્રકારે શારિરિક વ્યાપારનું નિયમન કરવું. હિંસા ઉત્પન કરે તેવા કપડાં પહેરવા ન જોઈએ. આપણા કપડા એવાં હોવા જોઈએ કે સામા માણસને આપણા પ્રત્યે માન ઉપજે. હવે આપણે સમિતિના ભેદ જોઈશું સમિતિના કુલ ૫ ભેદ. (૧) ઈસમિતિ (૨) ભાષાસમિતિ (૩) એષણા સમિતિ (૪)આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ (૫) પારિષ્ઠાપનિકા સમિતિ (૧) ઈર્ષા સમિતિ - કોઈ પણ જીવને કલેશ ન થાય એવી રીતે સાવધાનીપૂર્વક ચાલવું ઉંચે જોઈને કે આડા અવળા ડાફોળીયા મારીને ચાલવું ન જોઈએ. (૨) ભાષા સમિતિ - બોલવામાં સંયમ રાખવો જોઈએ. આપણા બોલવાથી કોઈ જીવની હિંસા થાય તેવું બોલવું ન જોઈએ. ભાષાના ચાર પ્રકાર છે તેમાંથી પહેલો પ્રકાર જ ઉચિત છે. બાકીના પ્રકારો અનુચિત જાણવા. (૧) પ્રિય અને સત્ય બોલવું ()પ્રિય બોલવું અને અસત્યબોલવું (૩) અપ્રિય બોલવું અને સત્ય બોલવું (૪) અપ્રિય બોલવું અને અસત્ય બોલવું, (૩) એષણા સમિતિ - જીવન જીવવા માટે આવશ્યક નિર્દોષ સાધનો એકઠાં કરવામાં સાવધાનીપૂર્વકની પ્રવૃત્તિ કરવી. (૪) આદાન-ભંડ-મત્ત નિક્ષેપણા સમિતિ:- વસ્તુમાત્રને સારી રીતે જોઈને અને પ્રમાર્જિત કરીને જ ઉપયોગી વસ્તુઓ લેવી મૂકવી. દા.ત. સવારમાં ગેસનો ચૂલો સળગાવવો હોય તો પૂંજણીથી પૂંજવો જોઈએ કોઈ વાસણ વાપરવું હોય તો સારી રીતે જોઈ તપાસીને વાપરવું જેથી તેમાં કોઈ જીવાત હોય તો મરી ન જાય. એજ રીતે વાસણ, ઉપકરણ આદિ તમામ ચીજ વસ્તુઓમાં ઉપયોગ અને જયણાપૂર્વક વર્તવું જોઈએ. (૫) પારિષ્ઠાપનિકા સમિતિઃ જીવરહિત જમીન પર, જોઈ તપાસીને

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218