SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ૧૭૭ કરવું અવસર પ્રમાણે બોલવું. નહિ તો મૌન રહેવું આને વચન ગુમિ કહેવાય (૩) કાય ગુપ્તિ - એટલે શરીર સંબંધી હાલવા ચાલવામાં ઉઠવા બેસવામાં કર્તવ્ય અકર્તવ્યનો વિવેકહોય એ પ્રકારે શારિરિક વ્યાપારનું નિયમન કરવું. હિંસા ઉત્પન કરે તેવા કપડાં પહેરવા ન જોઈએ. આપણા કપડા એવાં હોવા જોઈએ કે સામા માણસને આપણા પ્રત્યે માન ઉપજે. હવે આપણે સમિતિના ભેદ જોઈશું સમિતિના કુલ ૫ ભેદ. (૧) ઈસમિતિ (૨) ભાષાસમિતિ (૩) એષણા સમિતિ (૪)આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ (૫) પારિષ્ઠાપનિકા સમિતિ (૧) ઈર્ષા સમિતિ - કોઈ પણ જીવને કલેશ ન થાય એવી રીતે સાવધાનીપૂર્વક ચાલવું ઉંચે જોઈને કે આડા અવળા ડાફોળીયા મારીને ચાલવું ન જોઈએ. (૨) ભાષા સમિતિ - બોલવામાં સંયમ રાખવો જોઈએ. આપણા બોલવાથી કોઈ જીવની હિંસા થાય તેવું બોલવું ન જોઈએ. ભાષાના ચાર પ્રકાર છે તેમાંથી પહેલો પ્રકાર જ ઉચિત છે. બાકીના પ્રકારો અનુચિત જાણવા. (૧) પ્રિય અને સત્ય બોલવું ()પ્રિય બોલવું અને અસત્યબોલવું (૩) અપ્રિય બોલવું અને સત્ય બોલવું (૪) અપ્રિય બોલવું અને અસત્ય બોલવું, (૩) એષણા સમિતિ - જીવન જીવવા માટે આવશ્યક નિર્દોષ સાધનો એકઠાં કરવામાં સાવધાનીપૂર્વકની પ્રવૃત્તિ કરવી. (૪) આદાન-ભંડ-મત્ત નિક્ષેપણા સમિતિ:- વસ્તુમાત્રને સારી રીતે જોઈને અને પ્રમાર્જિત કરીને જ ઉપયોગી વસ્તુઓ લેવી મૂકવી. દા.ત. સવારમાં ગેસનો ચૂલો સળગાવવો હોય તો પૂંજણીથી પૂંજવો જોઈએ કોઈ વાસણ વાપરવું હોય તો સારી રીતે જોઈ તપાસીને વાપરવું જેથી તેમાં કોઈ જીવાત હોય તો મરી ન જાય. એજ રીતે વાસણ, ઉપકરણ આદિ તમામ ચીજ વસ્તુઓમાં ઉપયોગ અને જયણાપૂર્વક વર્તવું જોઈએ. (૫) પારિષ્ઠાપનિકા સમિતિઃ જીવરહિત જમીન પર, જોઈ તપાસીને
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy