________________
૧૭૨
આશ્રવ ભાવના
* મન વચન અને કાયાથી ચંચળ-અસ્થિર પ્રાણી પાપના ભારથી દબાઈને કર્મ રૂપી કાદવચી ખરડાઈ જાય છે. તેથી અન્ય તમામ કાર્યો બાજુ પર રાખીને આશ્રવ ઉપર વિજય મેળવવા માટે
પ્રયત્ન કર...
शुद्धा योगा रे, यदपि यतात्मनां स्त्रवन्ते शुभकर्माणि । कांचननिगडांस्तान्यपि जानीयात् हतनिर्वृत्ति शर्माणि ॥
* સંયમી આત્માઓના શુભ યોગો પણ સારા કર્મોને વધારે છે. જ્યારે મોક્ષ માટે તો આ શુભ કર્મો પણ બેડી સમાન છે. હાથકડી સોનાની હોય કે લોઢાની એ હાય કડી જ છે.
मौद स्वैवं रे, साश्रवपाप्मनां रोधे धियमाधाय । શાન્તસુધારસવાનમનારત, વિનય ! વિધાય વિધાય ॥ ૮ ॥
* હે વિનય ! આશ્રવરૂપી પાપોને રોકવા માટે તારી સ્વચ્છ બુદ્ધિને ધારણ કરીને આનંદ પામ, અને નિરંતર શાન્ત સુધારસનું પાન
કર
બચો... ક્યાયોથી....
ગ્રંથકારશ્રી પૂર્વની વાતને પુષ્ટ કરતાં ફરમાવી રહ્યા છે કે...ક્રોધ માન માયા લોભ એ કષાયો... જીવને નરકમાં નાખે છે.. માટે જ... કષાયોની અંદર ફસાયેલો જીવ અનંતા જન્મ મરણ કરે છે... અનંત દુઃખોનો અનુભવ કરે છે...
કષાય... સર્વ જીવોને ઉદ્વેગ કરનાર છે,
વેરનો અનુબંધ કરનાર છે અને સદ્ગતિનો નાશ કરનાર છે.
અશુભ યોગને રોકો...
મન વચન અને કાયાના યોગો... જો પાપકારી હશે તો તમારો આત્મા કર્મોના કાદવથી ખરડાયેલો જ રહેશે યોગો શુભ હોય કે એનાથી કર્મો તો બંધાય જ...!!!
અશુભ
હોય પણ
શુભ યોગ હોય તો સોનાની જંજીર અશુભ યોગ હોય તો લોઢાની જંજીર...