________________
૧૫૯
શાન્ત સુધારસ વિવેચન- ભાગ-૧ તેનો માલ લેવો ઈત્યાદિ ચોરીના પ્રકાર જાણવા.
થિના સેવન - સ્ત્રી પુરૂષની રતિક્રીડા એટલે મૈથુન, કન્યા, વેશ્યા કે અપરિગૃહિત કે અન્ય સ્ત્રીની સાથેનો ઉપભોગ, સ્વસ્ત્રી માટે પણ અતિ કામ ભાવ, સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને અતિશય કામેચ્છા ઈત્યાદિ મૈથુન અવિરતિના પ્રકારો છે.
પરિગ્રહ -મૂચ્છ પરિગ્રહઃ આ શાસ્ત્ર વાક્યાનુસારે પદાર્થોનું મમત્વ એ જ પરિગ્રહ કહેવાય. ધનધાન્યાદિ સંગ્રહ કરવો. મળે તો ખુશી. જાય તો નારાજી આ પરિગ્રહ જ છે.
સમજુ જનો આ અવિરતિનો ત્યાગ કરે.
હવે કષાયોના સ્વરૂપને સમજીએ. કેમકે કષાયો આત્માના ગુણોને પ્રગટ થવા દેતા નથી. માટે યત્કિંચિત્ કષાયોનું વર્ણન કરવામાં આવે છે.
કષાયોનું સવરૂપ અનાદિકાળથી જીવનું સંસાર ભ્રમણ આ કષાયોના કારણે થાય છે. છેક અગ્યારમા ગુણસ્થાનકે ગયેલ આત્માને પણ નીચે પાડનાર હોય તો કષાય જ છે.
કષાયના ચાર ભેદો છે. ક્રોધ, માન, માયા, અને લોભ આ ચંડાળ ચોકડી ખતરનાક છે. કોધ - આત્માના પરમ તેજની વિકૃતિ માન :- આત્માની પરમ ગરિમાની વિકૃતિ માથા - આત્માના રાપર પ્રકાશય શક્તિની વિકૃતિ લોભ - આત્માના અનંત જ્ઞાનની વિકૃતિ.
વાચક શ્રેષ્ઠ શ્રી ઉમાસ્વાતિ ભગવાન પણ પ્રશમરતિમાં જણાવે છે કે ક્રોધથી પ્રીતિનો નાશ થાય, માનથી વિનયનો નાશ થાય, માયાથી વિશ્વાસ ભંગ થાય અને લોભથી સર્વ ગુણો નાશ પામે. માટે ચારે કષાયો ભયંકર છે. ત્યાજ્ય છે. ચારે કષાયોને ક્રમશઃ જોઈએ.
કોઇ કષાય -
ક્રોધથી મગજમાં જ્ઞાનતંતુઓ ઉપર ખરાબ અસર થાય છે. શરીર ગરમા ગરમ થઈ જાય છે. ક્રોધીને કોઈ મિત્ર હોતો નથી. એનો કોઈ ચાહક હોય નહિ. ક્રોધથી ત્રિદોષ ઉત્પન્ન થાય-પોતે તપે, બીજાને તપાવે અને સ્નેહનો