________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૬૧ મળી.
આમ ક્રોધે એનો વ્યાપ વધારી દીધો! એતો સારું થયું કે પ્રભુવીર મળી ગયા અને, એનું કલ્યાણ થઈ ગયું. એટલે જ ક્રોધને કાબુમાં રાખો.
ઇ પ્રકારના મનુષ્યો બતાવ્યા છે. ઉત્તમોત્તમ :- જીવનમાં કદી ક્રોધ ન કરે - માનસરોવર જેવો. ઉત્તમ - ક્રોધ થાય પણ ક્ષણમાં જ શાંત થાય - વીજળીના
ઝબકારા જેવો. મધ્યમ - ઘડી, બે ઘડી રહે. પછી શાંત - નાના ટમટમીયા
દીવા જેવો વિમધ્યમ - ૨૪ કલાક ક્રોધ રહે પછી શાંત - સગડીજેવો અધમ :- ૫-૬ દિવસ ટકે - નીભાડા જેવો. અધમાધમ :- જીવનભર રહે, કેમે ય શાંત ન પડે - કારખાનાની
ભઠ્ઠી જેવો.
જરા વિચારી જોજો....... તમારો ક્રોધ કેવો છે. અગ્નિ અને સર્પની ઉપમા પામેલ ક્રોધથી છેટા રેજો. માન કષાય :
જો તમે જ્ઞાની હો, ધર્મ શ્રવણના અનુરાગી હો તો ગર્વને છોડી દેજો. અભિમાની ક્યારેય આગળ વધી શકે નહિ. એનામાં નમ્રતા-વિનય હોય નહિ.
તે દરેક ક્ષેત્રમાં ભારે પછડાટ ખાય. વળી અભિમાનનો ત્યાગ કરવો મુશ્કેલ છે. છતાં પણ એ ત્યાગ જ મુક્તિએ પહોંચાડે છે. તપ કરતાં પણ માનત્યાગ ખૂબ જ મહત્વનો છે. જુઓ...
सुखेन साध्या तपसां प्रवृत्ति र्यथा तथा नैव तु मानमुक्तिः आद्या न दत्तेपि शिव परा तु, निदर्शनाद्, बाहुबले : प्रदत्ते ॥
તપ સુખ-સુખે થઈ શકે છે, પણ માનત્યાગ નહિ. છતાં તપ કદાચ મોક્ષન પણ આપે જ્યારે માન ત્યાગ તો જરૂર મોક્ષ આપે જ. જુઓ બાહુબલિનું દષ્ટાંત !
એક વરસ તપ કરવા છતાં બાહુબળીને કેવળજ્ઞાન ન મળ્યું. પણ જેવું અભિમાન છોડ્યું, નમ્રતા આવી ને ત્યાં જ... “પગ ઉપાડ્યો વાંદવારે ઉપન્યું કેવળજ્ઞાન” બાર મહિનાના ઉપવાસ અભિમાન પૂર્વકના હોવાથી