Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 173
________________ આશ્રવ ભાવના ૧૬૦ નાશ કરે. ક્રોધના સમયમાં શરીરનું રક્ત ગરમ બની જાય. હાવભાવમાં ફરક પડી જાય એટલે જ કહ્યું છે કે. "मैंने देखा है कि विदा के समय માત્ર પીત્તે દો નાતે હૈ मैंने देखा है कि बुढापे के समय નેત્રીત્વે હો નાતે હૈ मैंने देखा है कि लोग गोरे होते हुए भी क्रोध के समय लाल और पीले हो जाते है" ॥ ક્રોધના દુષ્પરિણામ વિચારવા જોઈએ, જે જીવનમાં અંધકાર ફેલાવે છે. કારણ કેતનમાં ક્રોધ, મનમાં વેર એ અંધકાર છે. જીવનમાં કદી ક્રોધ ન થાય એની તકેદારી રાખવી જોઈએ. કેમકે જીવનને જો ઉત્તમ કક્ષાએ લઈ જવું હોય તો ક્રોધના ફળ પણ જાણી લેવા જોઈએ. જે આત્માને ક્યારેય ઉર્ધ્વગતિમાં લઈ જઈ શકે નહિ. ક્રોધનો ત્યાગ એટલે જ આત્મરમણતા. બીજું, ક્રોધ એ મોહનીય કર્મનો ભેદ જ છે. અને વળી કર્મને જેટલું સાચવશો એટલી તમને મુશ્કેલી આપશે. દુર્ગતિનો માર્ગ બતાવશે. તમને ચંડકાશિકનું દ્રષ્ટાંતતો યાદ હશે જ. એક નાનકડી ભૂલમાં કષાયને વશ પડીને સંયમ જીવન ગુમાવી દીધું. વળી જુઓ, ક્રોધની લીલા કેવી! સાધુના ભવમાંદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી જો વિચારીએ તો મારવા માટે ફક્ત ઓઘો જ હતો. ક્ષેત્રમાં ઉપાશ્રય જેવી નાનકડી જગ્યા, કાળથી જીવનનો અંતિમ સમય અને ભાવ બાળ સાધુને જરા ફટકારૂં! બસ આટલો જ ક્રોધ કર્યો અને સીધા ફેંકાઈ ગયા તાપસપણામાં! ત્યાં ક્રોધે એમને જાણે ક્રોધ કરવાની અનુકૂળતા આપી હોય તેમ ઓઘાની જગ્યાએ કુહાડી મળી. ઉપાશ્રયના બદલે મોટો આશ્રમ આપી દીધો અને સમય યુવાવયથી મરણ સુધીનો તેમજ ભાવ હતા કે જે કોઈ મારા બગીચામાં આવે તે બધાને જાનથી મારી નાખું. છેવટે ત્યાંથી મરીને ચંડકૌશિક થયો. ત્યાં પણ ક્રોધે કેવો પરચો બતાવ્યો! કુહાડી ગોતવા જવું પડે નહિ એટલે દ્રષ્ટિમાં ઝેર આપ્યું. જગ્યા આખા જંગલની મળી ગઈ અને કાળથી જન્મથી જ વેરવૃત્તિ આપી તેમજ અપરાધી નિરપરાધી જે આવે તે તમામને મારવાની દુષ્ટ બુદ્ધિ

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218