Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh
View full book text
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૬૭
કષાય પર વિજય, જીવો પર અનુકંપા દાન, સરાગ સંયમ, કંઈક સંયમ, કંઈક અસંયમ (સંયમાસંયમ) બાલતપ ઈત્યાદિ શાતા વેદનીય કર્મના આશ્રવો
જાણવા.
દર્શન મોહનીય :- કેવળી, શ્રુત, સંઘ અને ધર્મનો અવર્ણવાદ બોલવો, ઉન્માર્ગની દેશના આપવી તથા મિથ્યાત્વ ઈત્યાદિ દર્શન મોહનીયના આશ્રવો
જાણવા.
ચારિત્ર મોહનીય ઃ- કષાયના ઉદયથી આત્માનાં તીવ્ર પરિણામ પૂર્વક હાસ્ય વિગેરે દ્વારા વિષયોની વિષમતાથી અને આકર્ષણાદિ વડે ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે.
નરકનું આયુષ્ય :- બહુઆરંભ સમારંભ, પરિગ્રહ રૌદ્રધ્યાન, પંચેન્દ્રિય જીવની હિંસા, આ નરકઆયુના આશ્રવો જાણવા.
તિર્યંચ આયુષ્ય :- ગુઢ હૃદય, માયા શલ્યસહિતપણું, અને શઠ પણું વિગેરે તિર્યંચ આયુષ્યના કારણો છે.
મનુષ્યનું આયુષ્ય :-પ્રકૃતિથી અલ્પ કષાયો, દાનમાં રૂચિ અલ્પારંભ, અલ્પ પરિગ્રહ, મૃદુતા અને સરળતા ઈત્યાદિ મધ્યમગુણો, મનુષ્યાયુ : ના આશ્રવો છે.
દેવનું આયુષ્ય :- સરાગ સંયમ, અકામ નિર્જરા, સંયમાસંયમ, ઈત્યાદિ દેવના આયુષ્યના કારણો જાણવા.
અશુભ નામકર્મ :- મન વચન કાયાની વક્રતા, કપટપણું અશુભ નામ કર્મના આશ્રવો જાણવા.
શુભ નામકર્મ :- સરળતા, નિરભિમાની પણું. ઈત્યાદિ શુભનામકર્મના આશ્રવો જાણવા.
તીર્થંકર નામ કર્મ :- દર્શન વિશુદ્ધ, વિનય સંપન્નતા શીલ-સદાચાર, જ્ઞાન, સંવેગ, ત્યાગ, તપ, સંઘસમાધિ, વૈયાવચ્ચ, અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનની ભક્તિ, આવશ્યક ક્રિયાઓ શાસનની પ્રભાવના અને પ્રવચન પ્રત્યે વાત્સલ્યતા ઈત્યાદિ તીર્થંકર નામ કર્મના આશ્રવો જાણવાં.
ઉચ્ચ ગૌત્ર ઃ- અભિમાન રહિત પણું, ગુણો વડે અલંકૃત, નિરંતર જિન ભક્તિ, ઉચ્ચગોત્ર કર્મનો બંધ કરાવે છે. તેનાથી વિપરીત તથા પરનિંદા અને આત્મપ્રશંસા નીચગોત્ર કર્મનો બંધ કરાવે છે.

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218