SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ ૧૬૭ કષાય પર વિજય, જીવો પર અનુકંપા દાન, સરાગ સંયમ, કંઈક સંયમ, કંઈક અસંયમ (સંયમાસંયમ) બાલતપ ઈત્યાદિ શાતા વેદનીય કર્મના આશ્રવો જાણવા. દર્શન મોહનીય :- કેવળી, શ્રુત, સંઘ અને ધર્મનો અવર્ણવાદ બોલવો, ઉન્માર્ગની દેશના આપવી તથા મિથ્યાત્વ ઈત્યાદિ દર્શન મોહનીયના આશ્રવો જાણવા. ચારિત્ર મોહનીય ઃ- કષાયના ઉદયથી આત્માનાં તીવ્ર પરિણામ પૂર્વક હાસ્ય વિગેરે દ્વારા વિષયોની વિષમતાથી અને આકર્ષણાદિ વડે ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. નરકનું આયુષ્ય :- બહુઆરંભ સમારંભ, પરિગ્રહ રૌદ્રધ્યાન, પંચેન્દ્રિય જીવની હિંસા, આ નરકઆયુના આશ્રવો જાણવા. તિર્યંચ આયુષ્ય :- ગુઢ હૃદય, માયા શલ્યસહિતપણું, અને શઠ પણું વિગેરે તિર્યંચ આયુષ્યના કારણો છે. મનુષ્યનું આયુષ્ય :-પ્રકૃતિથી અલ્પ કષાયો, દાનમાં રૂચિ અલ્પારંભ, અલ્પ પરિગ્રહ, મૃદુતા અને સરળતા ઈત્યાદિ મધ્યમગુણો, મનુષ્યાયુ : ના આશ્રવો છે. દેવનું આયુષ્ય :- સરાગ સંયમ, અકામ નિર્જરા, સંયમાસંયમ, ઈત્યાદિ દેવના આયુષ્યના કારણો જાણવા. અશુભ નામકર્મ :- મન વચન કાયાની વક્રતા, કપટપણું અશુભ નામ કર્મના આશ્રવો જાણવા. શુભ નામકર્મ :- સરળતા, નિરભિમાની પણું. ઈત્યાદિ શુભનામકર્મના આશ્રવો જાણવા. તીર્થંકર નામ કર્મ :- દર્શન વિશુદ્ધ, વિનય સંપન્નતા શીલ-સદાચાર, જ્ઞાન, સંવેગ, ત્યાગ, તપ, સંઘસમાધિ, વૈયાવચ્ચ, અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનની ભક્તિ, આવશ્યક ક્રિયાઓ શાસનની પ્રભાવના અને પ્રવચન પ્રત્યે વાત્સલ્યતા ઈત્યાદિ તીર્થંકર નામ કર્મના આશ્રવો જાણવાં. ઉચ્ચ ગૌત્ર ઃ- અભિમાન રહિત પણું, ગુણો વડે અલંકૃત, નિરંતર જિન ભક્તિ, ઉચ્ચગોત્ર કર્મનો બંધ કરાવે છે. તેનાથી વિપરીત તથા પરનિંદા અને આત્મપ્રશંસા નીચગોત્ર કર્મનો બંધ કરાવે છે.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy