SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ આશ્રવ ભાવના અંતરાયકર્મ-જિનપૂજાવિગેરેમાં વિદ્ધ કરે, કોઈ પણ ધર્મક્રિયામાં વિદ્ધ કરનારો, હિંસામાં તત્પર એવો જીવ અંતરાય કર્મ બાંધે છે. આ આઠ કર્મના આશ્રવો સંક્ષેપમાં સમજાવવામાં આવ્યા છે. (વિશેષ જાણકારી કર્મગ્રંથમાંથી મેળવવી) આ આશ્રયો દ્વારા જીવ કર્મથી ભારે બનીને સંસાર સાગરમાં ડૂબે છે માટે આશ્રવનો નિરોધ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ ણણી બચો - ઉપાધ્યાય ભગવંત ફરમાવે છે કે... હે જીવ! તું કુગુરૂના ચક્કરમાં ફસાઈશ નહિ. કેમકે કુગુરુઓ તારી ગતિને ખરાબ કરી નાંખશે. મોક્ષનો સાચો રસ્તો બતાવશે નહિ. જે ખોટો રસ્તો બતાવે તે કુ ગુરુ અને જે સાચો રસ્તો બતાવે તે સદ્ગુરુ. દુર્ભાગ્યયોગે જો દંભી અને પાખંડી ગુરુનો સમાગમ થઈ ગયો તો એ ખોટું-ખોટું જ સમજાવશે. તમને અનુકૂળ હશે એ જ કરશે. પણ સત્યવસ્તુનું જ્ઞાન થવા નહીં. અને અજ્ઞાનની ઉંઘમાંજ જીવન વ્યતીત થઈ જશે. જે ઉંઘે છે, તે ગુમાવે છે. જુઓ જે સૌને છે, વો સબ કુછ ખોલે છે આમિર મેં રોતે હૈ, માટે જ ચેતના ઉંઘ નહિ, હવે જાગ, મોહ નીંદ ત્યાગ, સાથે માઝ લાગ. કુગુરુ જે ઉપદેશ આપશે તે પણ એમના સ્વાર્થનો જ હશે કોઈ ક્રિયામાર્ગ છોડશે કોઈ તપ છોડે કોઈ વ્યક્તિ છોડી પોતાની મનપસંદ વાત જ કરતા હોય છે. મીઠી વાણીમાં ઉપદેશ તો મોક્ષ માટેનો જ આપશે. પણ દુષ્ટ-ક્રિયા અને અશુભ આચરણથી ઉલ્ટાનું મોક્ષ ખૂબ જ દૂર થઈ જશે. કુગુરુઓના મોટા-મોટા આશ્રમો હશે. આનંદ-પ્રમોદ અને ભોગ વિલાસના સાધનો હશે. ભરપૂર સંસારને ભોગવતા થકા એમ જ કહેશે કે
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy