SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ આશ્રવ ભાવના દુ:ખની વાત છે.. પીડાનો શિકાર બનીને વિવિધ વેદનાઓ પ્રાપ્ત કરે છે. અને પરિણામ સ્વરૂપ મોતની ગહન ખીણમાં પડી જાય છે. || ૪ || આવ્યવોનો ત્યાગ કરો - ઉપાધ્યાયશ્રી વિનયવિજ્યજી મહારાજ શાન્ત સુધારસની આશ્રવ ભાવનાના ગેય કાવ્યમાં ફરમાવે છે કે આત્મામાં પાપનો પ્રવેશ કરાવનાર નીક એટલે આશ્રવ, અને તે આશ્રવોથી આત્મામાં રહેલ ગુણો વેર વિખેર થઈ જાય છે. આત્મા સ્ફટિક જેવો શુદ્ધ છે. કર્મમલથી નહીં લેવાનારો અને પવિત્ર છે. પણ આ આશ્રવો આત્માને કર્મથી ભારે કરી દે છે. કેમકે કર્મબંધ આશ્રવો દ્વારા જ થાય છે આઠકર્મ બતાવ્યા છે. પ્રત્યેક કર્મોના પેટા ભેદો ઘણા છે અને દરેક કર્મોના આશ્રવ જુદા-જુદા છે. અને એ આશ્રવો મુખ્ય પાંચ ભેદોમાં સમાઈ જાય છે. જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કમના આશ્રવ - જ્ઞાન-જ્ઞાનના સાધનો કે જ્ઞાનીની આશાતના કરવાથી, નિહવપણુ (અવહેલના) કરવાથી એમના ઉપર દ્વેષ રાખવાથી, એમની ઉપેક્ષા કરવાથી કે જ્ઞાનાદિ પ્રત્યે અંતરાય કરવાથી જીવ બન્ને પ્રકારના આવરણો ઉપાર્જન કરે છે. અશાતા વેદનીય કર્મના આગવો - દુખ આપવાથી, એટલે કે કોઈને ઈષ્ટનો વિયોગ, અને અનિષ્ટનો સંયોગ આદિ કરવા વડે. તેમજ શોકતાપ આદિથી જીવ અશાતા ઉપાર્જન કરે શોક -બંધુ આદિના વિયોગથી માનસિક રીતે દુઃખી બનવું. તાપ - કઠોર વચન વડે બળ્યા કરવું. આનંદના-માનસિક સંતાપ, માથા ફોડવા, હાથ-પગ પછાડવા રૂદન કરવું ઈત્યાદિ. વધઃ-જીવોનો પ્રાણોથી વિયોગ કરવો, સોટી, ચાબુક આદિથી મારવાં, હાથથી કે પગથી મસળવા ઈત્યાદિ પરિદેવના - કોઈને દયા આવે તેમ દીન બનવું. આ દુઃખ, શોક આદિ અશાતા વેદનીય કર્મોના આશ્રવો જાણવા. શાતાવેદનીય :- ગુરુની ભક્તિ, ક્ષમા, કરુણા, વ્રતનું આચરણ,
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy