________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૫૭ ઘણા ખેદ અને દુ:ખના ઉદ્દગારો સાથે ઉપાધ્યાયજી કહે છે ચોક પુરૂષાર્થ કરીને જલદી-જલદી કર્મોને બહાર કાઢું છું એટલામાં તો આશ્રવરૂપી શત્રુઓ પ્રતિસમયે ફરીથી ઘણું કર્મજલ લાવી દે છે. અરે! ખેદ છે કે કેવી રીતે આશ્રવ શત્રુઓ મારા વડે રોકાય ? હા ! હા ! અતિ ભીષણ એવા સંસારથી મારી મુકિત કેવી રીતે થશે ?
અનાદિકાળનો એક ક્રમ છે કે પ્રત્યેક સમયે આત્મામાં કર્મો પ્રવેશ કરે છે. પૂરવેગથી ચારેબાજુ કર્મો આત્મામાં ઠલવાઈ રહ્યા છે અને કર્મોને દૂર કરવા માટેનો ઉપાય અલ્પછે. થોડો પ્રયત્ન કરે, થોડા ઉપાયોથી કર્મને હટાવે. ત્યાં જ ફરીથી આત્મારૂપી તળાવમાં આશ્રવની નીક વડે કર્મોનો ભરાવો થઈ જાય છે.
કરવું? કેવી રીતે આશ્રવને રોકવા? કર્મોનો સફાયો કેમ કરીને થશે? અરે... અરે !! આ દુઃખથી હું કેવી રીતે મુક્ત બનીશ!
શું મારો આત્મા મોક્ષે નહીં જઈ શકે? જ્યાં સુધી આશ્રવોને રોકવામાં હું સફળ ન થાઉં, ત્યાં લગી મારી મુક્તિ પણ નહી સંભવે. ખૂબ ખેદ અને દુઃખની વાત છે કે મારો આત્મા આશ્રવોના કારણે સંસારમાં જ ભટક્યા કરશે.
આશ્રવ ભાવનાનું ચિંતન કરતાં-કરતાં મારો આત્મા વિષાદમાં ડૂબી જાય છે. શું એવો કોઈ ઉપાય નથી કે હું આશ્રવને રોકી શકું ! એક તો હું કર્મોથી ભરાયેલો છું ને વળી નવા નવા કર્મો આવી રહ્યા છે. ક્યા કારણથી કર્મો આવતા હશે? એવી કેવી આશ્રવની નીક છે?કર્મો ચાર કારણોથી આવે છે તે કારણો ઉપાધ્યાયજી બતાવે છે.....
मिथ्यात्वाविरति कषाय योग संज्ञा - श्वत्वार : सुकृति भिराश्रवा : प्रदिष्टा : । कर्माणि प्रतिसमयं स्फुटैरमीभि बंजन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ॥३॥ इन्द्रियाव्रत कषाय योगजा :, पञ्च पञ्च चतुरन्वितात्रयः पञ्च विंशतिरसत्क्रिया इति, नेत्रवेदपरिसंख्ययाप्यमी ॥ ४ ॥ મહામનીષી પુરૂષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ