________________
૧૪૮
અચિભાવના
જેનાથી આત્મા વધારે મલિન બને છે. બધાજ પાપો-દોષોનું પ્રક્ષાલન કરે, મલિનતાને હટાવે અને પવિત્રતા બક્ષે એજ સાચો શૌચ છે. એ શૌચ જ આત્માને હિતકારી છે. આ જગતમાં પવિત્ર એવો ધર્મ જ આદરણીય છે. માટે તમે ધર્મને જ હૃદયમાં સ્થાપન કરો.
જ
ધર્મથી જ જીવન ટકી શકે છે. ધર્મ જ જીવનમાં સર્વસ્વ છે.ધર્મ માટે કહેવાય છે કે...
दुर्गति प्रपतत् प्राणी धारणात् धर्म उच्चते !
દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે જ ધર્મ છે. જે માણસ ધર્મ માટે સમય ફાળવે છે એના માટે ધર્મ મોક્ષ ફાળવ્યા વગર રહેતો નથી.
માટે સતત ધર્મ ધ્યાનમાં જ લીન રહેવું જોઈએ. ધર્મ ભવઅટવીમાં સાર્થવાહ છે. ધર્મ જ સહારો અને આધાર છે. ધર્મના પ્રભાવે જ સુખ-શાન્તિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.
આત્માની શુચિ-પવિત્રતા અને શુદ્ધતા મેળવવા માટે પવિત્રતમ એવા ધર્મને મનમાં લાવો.
આ ધર્મ ૧૦ પ્રકારનો બતાવેલ છે. ક્ષમા-માર્દવ આદિ દશ યતિ ધર્મનું વિવેચન તેમજ ધર્મના પ્રભાવથી જીવન કેવું મંગલમય બને છે અને ધર્મથી જગતને શું લાભ થાય આ સઘળું વિવેચન ધર્મ ચિંતન નામની ભાવનામાં ગ્રન્થકાર સ્વયં જ કરવાના છે.
તેમજ સંવર ભાવનામાં યતિધર્મની સ્પષ્ટ સમજણ પણ આપવામાં
આવશે.
અત્યારે ગ્રન્થકારશ્રી અશુચિ ભાવનાનું વિશેષ વર્ણન કેવું કરે છે એ આપણે જોઈએ.
भावय रे वपुरिदमति मलिनं विनय ! विबोधय मानस नलिनम् पावनमनुचिन्तय विभुमेकं, परममहोदय मुदित विवेकम् ! दम्पति रेतो रुधिरविवर्ते किं शुभमिह मलकश्मलगर्ते । मृशमपि पिहितः स्त्रवति विरूपं को बहू मनुतेऽवस्करकूपम् ॥ २ ॥
હે વિનય, આ શરીર અત્યન્ત ગંદુ છે તે તું વિચારજે. તારા મન કમળને વિકસીત કર. તેમજ પરમ મહોદય વાળા વિવેક સંપન્ન પરમ