Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 157
________________ ૧૪૪ અશુચિભાવના કરી. છેવટે હાથમાં ખંજર લઈને મારવા ગયા. જો કે એનું પુણ્ય પરવારી ગયું હતું એટલે છેવટે એ જ દુર્જન ધવલ મરણ પામ્યો. અને સાતમી નરકે ગયો. ટુંકમાં શ્રીપાલે સેંકડો ઉપાયો એને બચાવવા કર્યા છતાં ધવલ સજ્જન ન બન્યો. તમે શરીર સુશોભિત બને માટે એને શણગારો છો. પણ ધ્યાનમાં રાખશો કે એમાં કદાચ શરીર સુંદર લાગશે પણ સુંદર બનશે નહિ. જાતને શણગારવામાં જે ખર્ચા થાય છે તે સંસાર વૃદ્ધિનું કારણ બનશે. જગપતિને શણગારવામાં જે ખર્ચા થાય છે તે સંસાર અંતનું કારણ બનશે. શરીરને શણગારવા પાછળ તો દ્રવ્ય અને સમયનો ગમે તેટલો ભોગ આપો પણ એનો કોઈ મતલબ નથી. ગંદી ગટર ઉપર સ્ટેનલેસ સ્ટીલનું ઢાંકણ ચઢાવવાથી અંદરની ગટર-ગટર મટી જતી નથી. સડેલા સફરજન ઉપર આકર્ષક પેકીંગ ચઢાવવાથી અંદરનો માલ સુધરી જતો નથી. તમે શરીરને હૃષ્ટપુષ્ટ કરો. તો પણ એ તમને સાથ-સહકાર નહિ આપે એ તમારા ઉપર અપકાર જ કરશે. કેમકે શરીર સ્વયં દગાબાજ છે. શરીરને ભોજન આપવાના છ કારણો છે. - ક્ષુધા વેદનીયને શાન્ત કરવા માટે - વૈયાવચ્ચ- સેવા ભક્તિ કરવા માટે - ઈાંસમતિ પાળવા માટે - સંયમ નિરાબાધપણે પાળવા માટે પ્રાણ ધારણ કરવા માટે - ધર્મ ચિંતન કરવા માટે આ છ કારણ સિવાય ભોજન કરવાનું હોતું નથી. આજે માણસ જીભ ને રાજી રાખવા માટે ખાય છે. શરીર ને હષ્ટ પુષ્ટ બનાવવા માટે ખાય છે. .

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218