________________
૩૬
અનિત્ય ભાવના પડી છે, અને તેમાં સૌથી પહેલી ભાવના પણ અનિત્ય ભાવના મુકી છે.
અનિત્ય ભાવના જ્યારે આત્મસાતુ થઈ જાય ત્યારે કોઈ જાતનું ટેન્શન ચિંતા કે ઉપાધિ રહેતી નથી. કેમકે પદાર્થોની હાનિથી જ જીવને ઉપાધિ ચિંતા આવે છે પણ અનિત્ય ભાવનાથી મમત્વ ભાવ છૂટી ગયો છે માટે કોઈ જાતનું ટેન્શન રહેતું નથી.
ધંધામાં બે લાખ રૂપિયાનું નુકશાન થાય તો માણસ હસતા મોંટે સહન કરી લે છે પણ ઘરમાં જો બે રૂપિયાની રકાબી તૂટી જાય તો આખું ઘર તૂટી જાય છે.
એનું કારણ કિંમત નથી પણ રકાબીપરનું મમત્વ છે. માટે મમત્વને છોડો.
તમે રોગી બન્યાહો અને કોઈ કહે કે અહો! તમારું શરીર કેવું નીરોગી હતું અને એકાએક રોગ આવ્યો. અમને ખૂબ જ દુઃખ થયું. તમારી ખૂબ જ ચિંતા થાય છે. એ વખતે તમે કહો કે હું પૂર્ણ નીરોગી જ છું. કેમકે શરીરમાં રોગ આવવાનો જ હતો, માટે હું દુઃખી નથી તમે પણ દુઃખી ન થાઓ.
કોઈ આશ્વાસન આપતા કહે કે તમને વેપારમાં ખૂબ નુકશાન થયું છે કરોડો રૂા. ગુમાવ્યા છે. આ સાંભળી અમને દુઃખ થયું છે તો તે કહે કે આ સંપત્તિ જ મારી નથી કેમકે લક્ષ્મી ચંચળ છે. અનિત્ય છે માટે ક્યારેક જવાની જ છે માટે હું તો સ્વસ્થ જ છું
કોઈને છોકરા છોડી દે, કોઈને મિત્રો દગો આપે તો એ જરા પણ વિચલિત ન બને કેમકે આ સંબંધોને એ નિત્ય માનતો જ નથી.
એ જ રીતે વિષય ભોગો પણ અનિત્ય જ છે. જુઓ। पश्य भंगुरमिदं विषय सुख सौहृदं पश्यतामेव नश्यति सहासं
एतदनुहरति संसार रूपं रयाज्ज्वलज्जलद बालिका रुचि विलासम् ॥२॥ | हन्त हत यौवनं पुच्छमिव शौवनं कुटिलमति तदपि लधु द्रष्ट नष्टम् । तेन बत परवशाः परवशा हतधियः कटुकमिह किन कलयन्ति कष्टम् ॥३॥
વિષય સુખોના સંબંધો ક્ષણભંગુર છે જોત જોતામાં એકાએક નાશ પામી જાય એવા છે. આ સંસારની માયા વીજળીના ઝબકારા જેવી છે. ચંચળ
વૈષયિક સુખોનો ભોગ કાળ સામાન્ય રીતે યુવાકાળ ગણવામાં આવે