________________
૪૮
અશરણ ભાવના કશું જ સાથે લઈને ગયા નહીં અને કોઈ એમને બચાવી શક્યા નહિ. બધાજ એકજ મારગ-મરણનો પકડે છે. ગુણનિધાન માણસોને પણ યમરાજા છોડતા નથી.
આ જગતમાં જે આવે છે તે ચોક્કસ જાય જ છે. જુઓ. "दीपक के प्यार में पतंगा जल जाता है सूरज के आने से चन्द्र छिप जाता है आप न भूलना अपने अस्तित्व को ए गीत संसार में जो आता है निःसन्देह जाता है
સંસારી જીવોની આ નિયતિ છે. ભવિતવ્યતા છે કે જે જન્મ લે તે સર્વને મરવું જ પડે છે. ખુદ તીર્થંકર પરમાત્મા પણ પોતાનું આયુષ્ય ક્ષણ માત્ર વધારી શક્તા નથી. માટે જીવે પોતાનું બાંધેલું આયુષ્ય પૂર્ણ થઈ જાય એટલે તરત જ અન્ય ગતિમાં જવું પડે છે. જેટલું આયુષ્ય કર્મ હશે એટલું જ જીવી શકશો. અને પછી બધું જ છોડીને ચાલ્યા જશો. જેણે જીવનમાં ઉત્તમ કર્મો કર્યા છે એને મરણનો કોઈ ડર નથી. માટે જ જેને મરતા મરતા મૂકી જવાનું છે તેને જીવતા જીવતા જ મૂકી દે
તે મહાન..III અને મહાન માણસો મોતને હસતા મોઢે સ્વીકારી લે છે. એ મરણથી ડરતો નથી. મરણથી કોણ કરે?
“પ્રાણ જાયે દેહ તજ કે આજ હી ચા કલ ભલે ન મુજ કો દોષ દો કોઈ કિ થા ડરપોક મરનેકા બિતાયા હૈ મૈને સદા સુજીવન નામ પાને મેં
વહી મરને સે ડરતા હૈ જો પાપી ચા અધર્મી
માટે મોત આવે એ વખતે જો ધર્મનું શરણું હોય તો કોઈ ભય નથી. અન્યથા સતત ભયના ઓથાર હેઠળ જીવવું પડે છે. જુઓ કૃષ્ણ અને બલરામ પાસે પુષ્કળ સત્તા-શક્તિ હતી છતાં કશું જ કરી શક્યા નહિ. સુવર્ણમય દ્વારિકા બળી ગઈ. માતા-પિતાને પણ બચાવી શક્યા નહિ. એમના જીવનની આ ટ્રેજેડી હતી કે એમના દેખતા જ એમની માલ-મિલ્કત-નગર અને પ્રજા નાશ પામી ગઈ એ જોતા જ રહી ગયા. એકાકીબનીને નગર બહાર જંગલમાં ગયા અને ત્યાં કૃષ્ણ મોતને ભેટયા. કેવું કરૂણ મૃત્યુ!!