________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
(૧૧) તું મારો પુત્ર છે.
(૧૨) તું મારો સસરો છે.
-
(૧૩) મારી માતા છે
(૧૪) મારી પિતામહી છે.
અને આ કુબેરસેના સાથે પણ મારે છ સંબંધો છે:
કેમકે મારી જન્મદાત્રી છે.
-
૮૫
મારી શોકયનો તું પુત્ર છે માટે મારો પણ
પુત્ર જ છે.
(૧૫) મારી ભોજાઈ (ભાભી છે)
(૧૬) મારી પુત્રવધુ પણ છે.
મારો દિયર (બાળક)નો તું પિતા હોવાથી
- તું મારો પિતામહ છે. તારી પત્ની મારી
દાદી છે.
-
તુ મારો ભાઈ હોવાથી તારી પત્ની ભાભી છે.
કેમકે મારા પુત્રની પત્ની છે. કેમ કે એક સંબંધ (નં. ૧૧)થી તું મારો પુત્ર છે. મારા પતિ(કુબેરદત્ત)ની માતા છે. મારા પતિની પત્ની છે.
સાસુ છે.
(૧૦) મારી (૧૮) મારી શોક્ય છે.
આમ તમારી સાથે મારે અઢાર સંબંધ છે જે આ એક જ ભવમાં બંધાયા છે. શ્રમણીની આ વાત સાંભળી કુબેરદત્ત તરત જ ઓળખી ગયો. કુબેરદત્તા એ બે વીંટી બતાવી. કુબેરસેના બન્ને વીંટી ઓળખી ગઈ. એની આંખ સામે જન્મ-વીંટી પેટી અને યમુના નદી તરવરી ગયા. સત્ય હકીકત સમજતાં બન્ને હીબકે હીબકે ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. પશ્ચાતાપની આગમાં સળગવા માંડ્યા. સંસાર પ્રત્યે વિરકિત જાગી અને સંસારનો ત્યાગ કરી તપ અને જપના પ્રભાવે આત્મ કલ્યાણ કર્યું.
માટે આવા સંબંધોમાં રાગ દ્વેષ કરવા ન જોઈએ. “ભલે સંબંધ એ અકબંધ લાગે પણ કદીક, ક્યારેક તૂટે કોઈની ડંફાસ કદી ન ચાલે જ્યારે અંજળ ખૂટે”
પરેશાનીમય સંસાર !
વળી સંસારમાં ડગલે ને પગલે પરાભવ-પરેશાની આવ્યા જ કરે છે ક્યાંય શાન્તિ મળતી નથી. કોઈને પુત્રનું દુઃખ, કોઈને પરિવાર નું દુઃખ, કોઈને ઘર ન મળે, તો કોઈને વર ન મળે, મળે તો સારુ-સુંદર ન મળે.