________________
૧૧૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ૫ અન્યત્વ ભાવના પણ
परः प्रविष्ट : कुरुते विनाशं लोकोक्तिरेषा न मृषेति मन्ये निर्विश्य कर्माणु भिरस्य किं किंज्ञानात्मनो नो समपादिक्ष्टम् ॥१॥ खिद्यते ननु किमन्य कथार्त : सर्वदैवं ममता परतन्त्र : चिन्तयस्य नुपमान्कथमात्मन्नात्मनो गुणमणीन कदापि ॥२॥ ।
લોકોમાં એક કહેવત છે કે.. પરાયો ઘરમાં ઘુસે તો વિનાશ વેરે તે ખરેખર અસત્ય નથી. જ્ઞાનથી શુદ્ધ અને પવિત્ર એવા આત્મામાં ઘુસી ગયેલ કર્મ પરમાણુઓએ કયા કયા કણો પેદા નથી કર્યો?
ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાન્ત સુધારસ નામના ગ્રંથમાં હવે પાંચમી અન્યત્વ ભાવનાની શરૂઆત કરે છે.
આત્મામાં શાન્તરસને જગાવવા માટે આત્માથી અન્ય શું છે તે જાણવું જરૂરી છે અને અન્યથી શું નુકશાન થાય તે પણ સમજવું જોઈએ.
હે આત્માનું! તું પારકી ચિંતા કરીને કેમ દુઃખી થાય છે? મમતા ને પરતંત્ર થઈ સર્વદા તું પીડા પામે છે. અનુપમ એવા આત્માના ગુણ મણીઓને શોધીને એનો કેમ વિચાર કરતો નથી? એની સામે કેમદ્રષ્ટિપાત કરતો નથી!
પારકો ઘુસવાથી વિનાશ થાય છે.
હમણાં હમણાં એવા સમાચાર સાંભળવા-વાંચવા મળે છે કે દાગીના ધોવા માટે કોઈ અજાણ્યા માણસ આવે અને છેવટે દાગીના લઈને ચાલ્યા જાય, મતલબ પારકો ઘરમાં ઘુસી જાય તો વિનાશ વેરીને જાય. રાજ્યમાં દેશમાં કે ઘરમાં દુર્જન, શેતાન ઘુસી જાય અને પછી સંપત્તિ આરોગ્ય કે સંતાન સંબંધી દુઃખ શોક કે ત્રાસ ફેલાવી દે છે. માટે જ વિનયવિજયજી મહારાજ લોકોકિતનું દૃષ્ટાંત આપે છે.
परः प्रविष्ट : कुरुते विनाशम्
ડાહ્યા અને અનુભવી પુરૂષો, માટે જ જણાવી ગયા છે કે જે તે ઉપર જલ્દી વિશ્વાસ મુકશો નહિ. આત્મા અને કર્મ
એ જ રીતે આત્મામાં પર એટલે કે કર્મ ઘુસે તો વિનાશ વેરી દે છે.