________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૧૯
આત્માને ઓળખો
આપણી મૂળ વાત છે આપણા આત્માને ઓળખવો. આત્માને જાણવો એટલે નિર્મળ આત્મ તત્ત્વનો વિચાર કરવો. આત્માને જાણવો એટલે સર્વ જાણી લેવું. આત્માને જાણવો એટલે દુનિયાના તમામ દગાથી બચવું. મિથ્યા, છળ અને પ્રપંચથી બચવાનું છે. મિથ્યાદ્રષ્ટિનો પરિત્યાગ કરવાનો છે. એટલે જ ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે આત્માને જુઓ, જાણો અને ઓળખો. તું તારી જાતને જ ઓળખતો નથી માટે થાપ ખાઈ ગયો છે અને એટલે જ સંસારમાં ફસાઈ ગયો છે.
“હું શરીરથી અલગ છું” આ અન્યત્વ ભાવનાનું મહત્વનું ચિંતન છે.
આ ચિંતનને પ્રેક્ટીકલ જીવનમાં ઉતારવું જોઈએ. એક વાર ભેદજ્ઞાન થઈ જાય પછી એના ઉપર રોજ રોજ થોડું-થોડું ચિંતન કરતા રહો.
સાથે-સાથે જીવ-અજીવ વિગેરેને પણ જાણવાના છે. જીવ-અજીવને જાણ્યા વગર તમે આત્માને જાણી શકશો નહિ. માટે એ જ્ઞાન મેળવવું પણ જરૂરી છે. છેવટે... આટલો નિશ્ચય કરો...
હું સ્વહિત માટે પ્રયત્ન કરીશ. આત્માથી પર ઈન્દ્રિયોના વિષયોમાં રત બનીશ નહિ. પૌલિક પદાર્થો માટે મનને કલુષિત કરીશ નહિ. રોજ આત્મચિંતન દ્વારા જીવનને ધન્ય બનાવીશ.
આ પ્રમાણે જીવન જીવવાથી આત્માનંદની પ્રાપ્તિ થશે અને તમે સ્વયં કહેશો કે..
“મોહ માયા છોડ દે ઈનસે નાતા તોડ દે.” जो आपकी पहिचान करादे वह ज्ञान है,
जो उलझे हूए को सुलझाए वह ध्यान है। जो सबसे प्रतिपल मिलता है आदमी ___पर जो अपने को मिलादे वही निर्वाण है। दुष्टा : कष्ट कदर्थनाः कति न ताः सोढास्त्वया संसृतौ, तिर्यंङनारकयोनिषु प्रतिहतच्छिन्नो विभिन्नो मुहुः ।
सर्वं तत्पिरकीयं दुर्विलसितं विस्मृत्य तेष्वेव हा । S रज्यन् मुह्यसि मूढ ! तानुपचरन् नात्मन्न किं लज्जसे ॥ ४ ॥