Book Title: Shant Sudharasam Part 01
Author(s): Ratnachandrasuri
Publisher: Purushadaniya Parshwanath Jain Sangh

View full book text
Previous | Next

Page 145
________________ ૧૩૨ પુદ્ગલને પ્રેમ કરવો.’’ પુદ્ગલની તોડ-ફોડ થશે તો તમે રડી ઊઠશો પણ તમારી તોડ-ફોડ કે હાનિ થશે તો પુદ્ગલને એની કોઈ જ અસર નહિ થાય. એટલે પુદ્ગલો પ્રત્યે પરિવાર પ્રત્યે, સંપત્તિ પ્રત્યે ઉદાસીન ભાવ કેળવવાનો છે. આપણું આત્મ દ્રવ્ય આત્મઘર આપણે સંભાળવાનું છે. त्यज संयोगं नियत वियोगं : અન્યત્વ ભાવના જે સંયોગ નિશ્ચે કરીને વિયોગમાં પલટાઈ જવાનો છે એવા સંયોગને પણ ત્યજ. એનો સંયોગ જ ન કર. જે પદાર્થોના સંયોગમાં તમે સુખ માન્યું હશે તો એના વિયોગમાં દુઃખ આવશે જ. માટે સંયોગમાં ખુશ થવાનું નથી. આ બધી માયાજાળ જ છે એમ માની એ પ્રસંગોએ પણ ઉદાસીન ભાવથી રહેવાનું છે. બેંકના કેશીયર પાસે રોજના લાખો રૂપિયા આવે અને લાખો રૂ।. જાય એ તો તમને ખબર જ હશે પણ જ્યારે એને રૂ।. આપવા પડે ત્યારે દુઃખ લાગે ખરૂં ? કચવાતા મને આપે ? કાલે આવજો એમ કહે ? બોલો શું કરે ? ભા આપી દે. એને ક્યાં ઘરના આપવાના છે ! · એટલે આપતી વખતે એને દુઃખ ન લાગે... કેમ ? આગમન વખતે આનંદ નહિ, વિદાય વેળાયે દુઃખ નહિ. સન્માન વખતે અહંકાર નહિ, અપમાન વખતે નુકશાન નહિ. જો મસ્ત નહિ મરણે શસ્ત નહિ. સંયોગ વખતે મજા નહિ, વિયોગ વખતે સજા નહિં કેશિયરને દુઃખ નથી કેમકે પૈસા આવતી વખતે આનંદ-હર્ષ ન હતો માટે આપતી વખતે ખેદ નથી પુદ્ગલ પ્રત્યે પણ તમે એવાજ ભાવ કેળવો કે આ ક્યાં મારું છે. સભા- એવા ભાવ તો નથી કેળવાતા. કેળવવા જ પડશે. તો જ પુદ્ગલ રાગ ઓછો થશે. અને તો જ દુઃખ, શોક હીન થશે. પુદ્ગલરાગને ઓછો કરવા માટે જ અન્યત્વભાવનું ચિંતન છે. તમે વિચારો કે જે પુદ્ગલો મલ્યા છે તે બધા જ શું કાયમ તમારી સાથે જ રહેવાના છે ? શું તમારો સાથ એ કદી નહિ છોડે ? શાન્ત ચિત્તે આ પ્રશ્ન તમે તમારા

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218