________________
એકત્વ ભાવના સુખ નહીં મળે. સ્તવનમાં પણ કહ્યું છે..
શાન અનંત સુખ અનંતુ વાહને ક્ષયિક ભાવે વર્તે છે તુજ ગુણ ને પણ હુ પાપી રમણ કર પરભાવમાં તો કિમ પાછું સવારૂપ રમણનું સુખ જે.
જ્યાં સુધી સંસારની લાલસા છુટશે નહિ ત્યાં સુધી સાચું સુખ પણ મળી શકશે નહિ. ઉપાધ્યાય વિનયવિજયજી મ. અત્રે દ્રષ્ટાંત આપે છે કે... જેમકે કોઈ માણસ પારકી સ્ત્રીને જોઈને એમ કહે કે આ મારી સ્ત્રી છે, તો લોકો એને ત્યાં ને ત્યાં ટીપી નાંખે અને છેવટે એ દુઃખી થાય અગર પરસ્ત્રી સાથે રતિ ક્રિીડા કરે તો પણ એને અનેક પ્રકારના દુઃખો આવે છે. રાવણ પરસ્ત્રીમાં મોહાયો તો છેવટે રાજ્ય પરિવાર અને જાત પણ ગુમાવવા પડ્યા. બસ એવી જ રીતે જે માણસો પરદ્રવ્ય ને સ્વદ્રવ્ય માને તે પણ દુઃખી થાય છે અને સ્વદ્રવ્ય એટલે આત્મ દ્રવ્ય, પોતાના આત્મા સિવાય બાકી બધું જ પર છે. જે આપણું છે તે કદી પરાયું થાય નહિ અને જે પારકું છે તે પોતાનું નહિ થાય. માટે પરદ્રવ્યોમાં મમત્વભાવ રાખવો નહિ
ઘર, બંગલો, ગાડી, પૈસો ઓફિસ પરિવાર અને બીજી સેંકડો વસ્તુઓ સાથે મમત્વભાવ જોડી દીધું છે. અને એટલે જ જીવનમાં દુઃખ-ચિંતા-ઉપાધિ આવે છે. કંઈ તુટી ગયું. નૂકશાન થયું કોઈ મરી ગયું એટલે તરત જ એની અસર તમારા મનમાં પડશે. પણ જો એકત્વ ભાવનું ચિંતન કરશો તો એમ થશે કે આ જીવ એકલો જ આવ્યો અને એકલો જ જવાનો છે.
માટે વિચારોની ચિંતન ધારા આગળ વધે કે હું શુદ્ધ સ્વરૂપી આત્મા છું. હું જ્ઞાનમય સુખમય અને આનંદમય છું.
જગતના તમામ આત્માઓ મારા જેવા જ છે માટે સમત્વ રાખું વિગેરે વિચારણા દ્વારા મોહ અને માયા જાળથી મુક્ત બનો એજ...
अधुना परभाव संवृत्तिं हर चेतः परितोवगुण्ठितम् ॥ क्षणमात्म विचार चन्दन द्रुमवातोर्मिरसा स्पृशन्तु माम् ॥ ४॥ एकतां समतोपेता मेनामात्मन् विभावय लभस्व परमानन्द सम्पदं नमिराज वत् ॥५॥
- -