________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
કોઈની વાણી મારા ઘરમાં જ ફેલાય છે. કોઈની વાણી માત્ર ગામમાં જ ફેલાય છે. કોઈની વાણી માત્ર દેશમાં જ ફેલાય છે જ્યારે મહાપુરુષની વાણી આખી દુનિયામાં ફેલાઈ જાય છે. છ પ્રકારની વાણી ન બોલવી જોઈએ
(૧) અસત્ય (૨) તિરસ્કારભરી. (૩) કઠોર (૪) અવિચારી (૫) ઝઘડા ઘોર (૬) કષાય ભરેલી. ઈતિ ઠાણાંગે. જરૂર પૂરતું અને કાર્ય પૂરતું જ બોલવું. શક્ય હોય તો મૌન જ રાખવું હિતાવહ છે. જુઓ
વધારે અવાજ કરે છે માટે ઝાંઝરનું સ્થાન પગે. અલ્પ અવાજ કરે છે માટે હારનું સ્થાન છે. મૌન રહે તે માટે મુગટનું સ્થાન મત કે.
અને બોલવાની જરૂર પડે ત્યારે પણ સત્ય અને મધુર જબોલો. અપ્રિય, અસત્ય કદી બોલશો નહિ અથવા કલ્યાણ માટે બોલવું હોય તો જ બોલશો.
જેનો મંત્રી મીઠા બોલો, તે રાજા વિનાશ પામે. જેનો ગુરુ મીઠા બોલો તે ધર્મ વિનાશ પામે. જેનો વેદ મીઠા બોલો તેનું શરીર વિનાશ પામે. માટે અવસરે જકડવું શોભે છે. ચાર પ્રકારની વાણી બતાવી છે. મધનો ઘડો અને મધનું ઢાંકણ. મધનો ઘડો અને ઝેરનું ઢાંકણા ઝેરનો ઘડો અને ઝેરનું ઢાંકણ ઝેરનો ઘડો અને મધનું ઢાંકણ એટલે કે... શુદ્ધ હૃદય અને મધુર વાણી શુદ્ધ હૃદય અને કટુ વાણી કલુષિત હૃદય અને કટુ વાણી કલુષિત હૃદય અને મધુર વાણી. આમાં પ્રથમ પ્રકાર જ સર્વ શ્રેષ્ઠ છે. સામાન્ય માણસોની વાણીથી કડવાશ ફેલાય છે. જ્યારે જિનવાણીના